SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ રાગ-દ્વેષનો અભાવ હોવાથી , અભાવ થવાથી તેમ નહીં. “અભાવ હોવાથી તે શબ્દ એમ સૂચવે છે કે-વસ્તુમાં સમસ્ત વિભાવભાવોનો અનાદિ અનંત અભાવ છે. વસ્તુમાં રાગ ને દ્વેષ ને મોટું ન હોય. એ થાય છે બીજામાં અને વ્યવહારનય કહે છે-જીવમાં થાય છે. એ કથન જુઠાલાલનું છે. અસત્યાર્થ કહો કે જૂઠું કહો એકાર્થ છે. કળશ ટીકામાં વ્યવહાર જૂઠો છે તેમ કહ્યું છે. ભગવાન આત્મામાં પ્રશસ્ત કે અપ્રશસ્ત મોહ-રાગ અને દ્વેષનો ત્રણેયકાળ આત્મામાં અભાવ છે. વસ્તુમાં એ ભાવ છે નહીં. પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવોનો અભાવ હોવાથી માન-અપમાનના હેતૃભત કર્મોદયના સ્થાનો નથી.”માનના કારણભૂત અને અપમાનના કારણભૂત કર્મોદયના સ્થાનો આત્મામાં નથી. કર્મનો ઉદય કર્મમાં રહે છે કર્મનો ઉદય આત્મામાં આવતો નથી. તેનાથી આગળ હજુ બીજી વાત કરે છે. કર્મના ઉદયના સ્થાનો શુદ્ધ જીવાસ્તિકાયમાં નથી. આ જીવને આવો કર્મનો ઉદય આવ્યો, અશાતાનો ઉદય આવ્યો, તું મૂરખ છે શુદ્ધ જીવાસ્તિકાયને કર્મનો ઉદય હોય શકે જ નહીં. કયારે ન હોય? તે ભવી હોય કે અભવી સંસારી મિથ્યાષ્ટિ હોય પર્યાયમાં છે પણ પર્યાયથી ભિન્ન શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ જે છે નિર્વિકલ્પ તેને કર્મનો ઉદય હોતો નથી. (શુભ જીવાસ્તિકાયને) શુભ પરિણતીનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી.” અહીં કહે છે શુભ પરિણતીનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં. શુભ પરિણતીનો અનાદિ અનંત અભાવ છે. શુભભાવ જીવમાં થતો જ નથી. જેને એમ ભાસે છે કે મારામાં શુભભાવ થાય છે તેને શુદ્ધ જીવાસ્તિકાયનું લક્ષ પણ નથી આવતું અને તે પક્ષમાં પણ આવતો નથી. તેથી તે પક્ષાતિક્રાંત થતો નથી અર્થાત્ આત્માની અનુભૂતિથી ટ્યુત થઈ જાય છે. આ એકદમ મુદ્દાની વાત ચાલે છે. મારામાં શુભભાવનો અભાવ છે. દયા-દાન, કરુણા, કોમળતાના ભાવો મારામાં નથી. ગુરુદેવ મારે આંગણે પધાર્યા અને હું તેમને હીરાથી વધાવું એવો જે શુભભાવ, એ શુભભાવની પરિણતીનો મારામાં ત્રણેકાળ અભાવ છે. શુભભાવ મારામાં થતા નથી તે બીજા સ્થાનમાં થાય છે. એનું સ્થાન જુદું છે અને મારું સ્થાન જુદું છે. મારા સ્થાનમાં શુભ પરિણતીનો ત્રણેકાળ અભાવ છે. શુભભાવનો અભાવ છે તેથી એક શુદ્ધાત્મા રહી ગયો. શુભ પરિણતીનો મારામાં અભાવ હોવાથી મારામાં શુભકર્મ નથી. શુભકર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી”, શુભકર્મનો અભાવ હોવાથી, શતાવેદનીય કર્મનો અભાવ હોવાથી મને સંસાર સુખ નથી. આ સાંસારિક સુખ જે છે તેની સત્તા ભિન્ન છે અને શુદ્ધ જીવાસ્તિકાયની સત્તા ભિન્ન છે. તે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્રથી Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy