SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ ગાથા ૩૯: ઉ૫૨ પ્રવચન પ્રથમ અન્વયાર્થ લઈએ પછી એની ટીકા લઈશું. જીવ એટલે કોને ? જીવ એટલે મને તેમ લેવું. આ કયા જીવની વાત ચાલે છે ? પોતાના આત્માની વાત ચાલે છે. જીવને એટલે મને–મારા જીવમાં ખરેખર સ્વભાવ સ્થાનો નથી. કૌંસમાં વિભાવ સ્વભાવના સ્થાનો નથી તેમ કહ્યું. આ કૌંસ શેમાંથી કાઢયો ? ટીકાની પહેલી લીટી છે તેમાં છે ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. એમાં જે ‘વિભાવ સ્વભાવ ’ શબ્દ વાપર્યો છે ને તેમાં ‘સ્વભાવ સ્થાનો નથી ' તે મૂળ ગાથામાં છે. એ સ્વભાવ શબ્દમાંથી ટીકાકારે કાઢયું વિભાવ સ્વભાવના સ્થાનો નથી. હવે એ સ્વભાવ શબ્દના ઘણાં અર્થ થાય છે. ‘ મુળા: સ્વમાવા ભવન્તિ, સ્વમાવા મુળા: ન ભવન્તિા' શું કહ્યું ? ગુણોને સ્વભાવ કહેવામાં આવે છે અને ગુણોને ધર્મ પણ કહેવામાં આવે છે. ગુણને સ્વભાવ કહેવાય અને ધર્મ પણ કહેવાય. આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, સુખગુણ, પ્રભુત્વગુણ છે તેને સ્વભાવ પણ કહેવામાં આવે છે. એ ત્રિકાળી ગુણોને સ્વભાવ પણ કહેવાય અને આત્માનો ધર્મ પણ કહેવાય. સ્વમાવા ગુળા: ન મવન્તિ”, સ્વભાવને ગુણ કહેવામાં આવતો નથી. સ્વભાવ એટલે એક સમયની પર્યાયમાં જે રાગ છે તેને ધર્મ કહેવામાં આવે છે. પર્યાય ધારી રાખેલો ભાવ તેને ધર્મ કહેવામાં આવે છે, પરંતુ તેને ગુણ કહેવામાં આવતો નથી. “મુળા: સ્વમાવા મવન્તિ, સ્વમાવા ગુળા: ન મવન્તિ” જે સ્વભાવ છે તેને ગુણ કહેવામાં આવતો નથી. એમ અનિત્ય નામનો એક ધર્મ છે તે સ્વભાવ ગુણ નથી. તેને ધર્મ કહેવાય પણ તેને ગુણ ન કહેવાય. માટે જે સ્વભાવ સ્થાનો એમ જે કહ્યું હતું તેનો અર્થ વિભાવસ્વભાવના સ્થાનો આત્મામાં નથી. # 66 આ નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.” નિર્વિકલ્પ એટલે આત્મા અનાદિ કાળથી જે મિથ્યાર્દષ્ટિ છે તેને હવે પ્રથમ ઉપશમ સમ્યગ્દર્શનના કાળમાં નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ થાય છે તે વાત નથી. નિર્વિકલ્પરૂપ ઉપશમ સમ્યગ્દર્શન થાય તે પર્યાયનું વિશેષણ છે. રાગ રહિત શુદ્ધ ઉપયોગની દશાને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. આ નિર્વિકલ્પ શબ્દ પર્યાયનું વિશેષણ છે. અહીંયા જે નિર્વિકલ્પ છે તે એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. અનંતગુણથી અભેદ જે ભગવાન આત્મા છે તે નિર્વિકલ્પ છે. આ શુદ્ધભાવનો અધિકાર છે. ત્રિકાળ આત્માને નિર્વિકલ્પ કહેવાય છે. પર્યાય ક્ષણિક નિર્વિકલ્પ થાય છે. પર્યાય થાય ત્યારે થાય છે અને સ્વભાવ તો ત્રણેકાળ નિર્વિકલ્પ છે. છે, છે, ને છે. એ જે નિર્વિકલ્પ છે તે હું છું, નિર્વિકલ્પ થાય તે હું નથી. જે નિર્વિકલ્પ થાય છે તે પરિણામ છે અને તે પરિણામ તો નાશવાન છે. નાશવાન છે તે પરિણામથી હું રહિત છું–જુદો છું. Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy