________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
ગાથા ૩૯
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।। ३९ ।।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा। न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।। ३९।। निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत्।
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि। न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि चेति।
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
૨૧
અન્વયાર્થ:- [ નીવત્સ્ય] જીવને [વતુ] ખરેખર [TM સ્વભાવસ્થાનાનિ ] સ્વભાવસ્થાનો (વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ન માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [7 હર્ષમાવસ્થાનાનિ ] હર્ષભાવનાં સ્થાનો નથી [ વા] કે [ન અહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી.
ટીકાઃ- આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે. ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ- સ્વભાવસ્થાનો (વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો ) નથી; ( શુદ્ધ જીવાસ્તિકાયને ) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસાર-સુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને ) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુ:ખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
***
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk