SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ ધારણા જ્ઞાનથી પણ પાર પરમાત્મા છે. ધારણાજ્ઞાન હેય છે કેમકે તે ઇન્દ્રિયજ્ઞાન છે. મતિજ્ઞાનની જે ધારણા છે તે પણ આત્મા નથી. તેનાથી આત્મા ભિન્ન છે. અરે ! મતિશ્રત પણ હેય છે, તે પણ ઉપાદેય નથી. - હવે ટોટલ મારે છે. “અતિ-આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.” એકલા આસન્નભવ્ય તેમ ન કહેતાં. અતિ આસન્નભવ્ય જીવોને તેમ કહ્યું. કેમકે આ જે ટીકાકાર છે તે આસન્નભવ્ય નથી. પરંતુ પોતે અતિ આસન્નભવ્ય છે. હવે તેને એકાદભવ માત્ર બાકી છે. અતિઆસન્ન ભવ્ય જીવોને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાય નથી. પરમાત્માની આગળ વિશેષણ છે “નિજ' પરમાત્મા. આહાહા! અત્યારે અમારો આત્મા કેવો છે? પરમાર્થથી તો એક પરમાત્મા છે અને પરિણામે બીજો પરમાત્મા થાય છે. હવે જે પરિણામે આત્મા થાય છે તે વ્યવહાર પરમાત્મા છે. જે સ્વભાવથી અનાદિ-અનંત પરમાત્મા છે એ નિશ્ચય પરમાત્મા છે. અને વ્યવહાર પરમાત્મા છે તે પરદ્રવ્યમાં જાય છે. નિશ્ચય પરમાત્મા સ્વદ્રવ્યમાં આવે છે. અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.” એકલું પરમાત્મા નહીં, પરમાત્માની આગળ વિશેષણ લગાડયું નિજ ' પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ પરિણામો ઉપાદેય નથી તો હીરા તો કયાંથી ઉપાદેય હોય? અરે ! કષાય ઉપાદેય નથી ત્યાં હીરા તો ઉપાદેય કયાંથી હોય! અરે ! હીરાને જાણનારું જે જ્ઞાન અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન એ ઉપાદેય નથી તો એનો વિષય ઉપાદેય કયાંથી હોય! અરે ! જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે એ પણ ઉપાદેય નથી. પરંતુ એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય એક જ ઉપાદેય છે. નિજ પરમાત્મ દ્રવ્ય સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. શ્લોક - ૫૪ (માલિની) जयति समयसार: सर्वतत्त्वैकसार: सकलविलयदूरः प्रास्तदुर्वारमारः। दुरिततरुकुठार: शुद्धबोधावतार: सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः।। ५४।। [ શ્લોકાર્ચ- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે કલેશોદધિનો Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy