SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ શુદ્ધ અંત:તત્ત્વ છે. જાણેલો પ્રયોજનવાન છે તે કોને? જેને દ્રવ્ય ઉપાદેય થાય તેને. આહા હા ! હું સ્વભાવથી જ અતીન્દ્રિય છું. અનાદિ અનંત અમૂર્તિક અતીન્દ્રિય સ્વભાવવાળો છું અને ઇન્દ્રિયજ્ઞાનવાળો હું નથી. હું શુદ્ધ સહજ અકૃત્રિમ છું. શુદ્ધ એટલે નિરપેક્ષ શુદ્ધ નિત્ય શુદ્ધ છે. કર્મના અભાવથી જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય એ પર્યાયનું વિશેષણ છે. અનાદિ અનંત નિત્ય શુદ્ધ સહજ અકૃત્રિમ પરમપારિણામિકભાવ સ્વરૂપ છે. પરમ એટલે પૂજનિક. “પારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે.” શું કહે છે? કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે બાકી કોઈ આત્મા નથી. વ્યવહારનય આત્મા હોવાનો ઉપચાર કરે છે. એકેન્દ્રિયને આત્મા કહેવાય, બેઇન્દ્રિયને આત્મા કહેવાય, મનુષ્યને આત્મા કહેવાય, રાગી જીવ છે, દ્વેષી જીવ છે, ક્રોધી જીવ છે, ચોથા ગુણસ્થાનવાળો જીવ છે, પાંચમા ગુણસ્થાનવાળો જીવ, તેરમા ગુણસ્થાનવાળો જીવ છે આ રીતે વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. જે જીવ નથી તેને જીવ કહે છે. જેને નિશ્ચયનયનો વિષય હાથમાં આવ્યો નથી તે વ્યવહારનયના વાક્યને સાચું માની સંસારમાં રખડે છે. આ મુદ્દાની વાત છે તેથી ફરીને, પ્રશ્ન:- એકેન્દ્રિય જીવને જીવ કહેવામાં આવે છે તે કઈ રીતે? ઉત્તર- એકેન્દ્રિય જીવને જીવ કહેવામાં આવે છે તે વ્યવહારનયનું વચન છે. અને વ્યવહારનય અભૂતાર્થ છે. તે બીજાના ભાવને બીજાનો કહે છે. એકેન્દ્રિય જીવ એટલેએકેન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ. એકેન્દ્રિય નિગોદના જીવને સ્પર્શઇન્દ્રિય માત્ર હોય છે તેને એકેન્દ્રિય કહીં, તેમાં અર્થાત્ પાંચ ઇન્દ્રિયમાં તેને એકમાત્ર સ્પર્શ ઇન્દ્રિય હોય છે. એ જે સ્પર્શ ઇન્દ્રિય છે તે જ્ઞાનના ઉઘાડની દશા છે.. અને તેથી તે ભાવઇન્દ્રિય છે અને ભાવઇન્દ્રિયને જીવ કહેવો એ વ્યવહાર છે અને તે વ્યવહાર અભૂતાર્થ છે. હવે જેને નિશ્ચયનું ભાન નથી તે વ્યવહારનયને સત્યાર્થ માનીને મિથ્યાષ્ટિ બની જાય છે. એકેન્દ્રિયજીવ, બેઇન્દ્રિયજીવ, મનુષ્યજીવ, નારકીજીવ એ બધા વ્યવહારનયના કથનો છે. વ્યવહારનયનું લક્ષણ એવું છે કે તે બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચયનયનું લક્ષણ એવું છે તે દ્રવ્યના નિજ સ્વભાવને જ કહે છે. આ વાત તો આપણે વ્યાખ્યાનમાં ઘણી થઈ ગઈ છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે તે વાત તો બહુ આવી ગઈ છે. પરંતુ ખ્યાલમાંથી નીકળી જાય છે. બીજા પર પદાર્થની રુચિ હોયને તેથી આ વાત યાદ ન રહે. તે ધારણામાં પણ ન રહે. તે વાત ધારણામાંથી પણ છૂટી જાય છે. બેંક બેલેન્સ ધારણામાં રહે પરંતુ આ વાત ધારણામાંથી છૂટી જાય છે. જો ધારણામાંથી છૂટી જાય તો પછી સ્વાધ્યાય કયાંથી કરી શકે ? તે ચિંતવન પણ કરી શકે નહીં. એ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy