SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * * * * શુદ્ધ અંત:તત્ત્વ XXX જૈન નથી. અહીં આ ગાથામાં આચાર્યદેવ ફરમાવે છે કે-જે પરદ્રવ્યને એકાંતે જ્ઞાનનો વિષય બનાવે છે અને દ્રવ્ય સ્વભાવને લક્ષમાંથી છોડી દે છે તે દિગમ્બર જૈન નથી... એટલે કે તે સમ્યગ્દષ્ટિ નથી. ૧૫) ભગવાન આત્માને પરદ્રવ્યની સાથે કોઈ સંબંધ નથી. કારણ કે * સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે. * સ્વકાળમાં પરકાળનો અભાવ છે. * સ્વક્ષેત્રમાં પરક્ષેત્રનો અભાવ છે. * સ્વભાવમાં પરભાવનો અભાવ છે. માટે તું.. “પદ્રવ્ય તજ અને સ્વદ્રવ્ય ભજ.” આચાર્યદેવ કહે છે કે-અમે પરિણામને એટલા માટે પરદ્રવ્ય કહ્યું કે તું તેને સ્વદ્રવ્ય માની બેઠો હતો. જ્યાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું ત્યાં તો તારી પર્યાયમાંથી અહબુદ્ધિ છૂટી ગઈ. પર્યાયમાંથી મારાપણાનો ભાવ છૂટી ગયો. મારાપણું છૂટયું તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ અને આગળ પર્યાયની જ્ઞાતાબુદ્ધિ પણ છૂટી ગઈ. પર્યાય હેય છે તો ઉપાદેય તત્ત્વ કોણ છે? કોનો આશ્રય લેવાથી ધર્મ થાય છે? કોનામાં સ્થિર થવાથી, કોનું લક્ષ કરવાથી ધર્મ થાય છે? ઉપાદેય આત્માનું સ્વરૂપ શું છે? તેને ઉપાદેય કોણ કરે છે? # ઉપાદેય તત્ત્વની વ્યાખ્યા કરનાર પૂ. ભાઈશ્રી ઉપાદેય એટલે આદર કરવા યોગ્ય વસ્તુ. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ. ઉપ+આદેય=સ્વભાવની સમીપે જઈને “આ હું છું” તેમ પરિણમવું તેનું નામ ઉપાદેય છે. સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્મા તે જ હું છું એવું પરમાત્માની અભિમુખ થઈને જે પરિણમન થયું તેનું નામ આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે. ગ્રહણનો અર્થ જ એ થાય છે કે-ઉપાદેય વસ્તુમાં હું પણું થવું, અહમ્ થવું. “ગ્રહણ થવું એટલે પકડવું તેવો અર્થ નથી. ગ્રહણ એટલે સામાન્ય દ્રવ્યનું લક્ષ થવું–તેમાં એકાગ્ર થવું. જે જાણવામાં આવે છે તે જ હું છું.. તેમ જાણવું થયું તેનું નામ આત્માની ઉપાદેયતા. અનંતગુણોનો પિંડ સ્વદ્રવ્ય તે ઉપાદેય છે, તેમાં લક્ષ સ્થાપવા યોગ્ય છે, અને પરિણામ ઉપરથી લક્ષ હઠાવવા યોગ્ય છે. પર્યાય દૃષ્ટિનો ત્યાગ તે જ ત્યાગ છે. દ્રવ્યદૃષ્ટિ થઈ તેનું નામ જ દ્રવ્યનું ગ્રહણ છે. ત્યાગઉપાદાન શૂન્યત્વ શક્તિના ધારક આત્માને આ રીતે ત્યાગઉપાદાન હોય છે. ખરેખર તો ધર્માત્માને આત્મા ઉપાદેય છે. અંતર સન્મુખ થઈને, આત્માની સમીપે જઈને, આત્માનો આદર થવો, મહિમા કરવો, તેમાં અહમ્ થવું તેનું નામ આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy