SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XXIX શુદ્ધ અંત:તત્ત્વ મારે શું કરવાનું? પરદ્રવ્ય ( પરિણામ ) મારા જાણ્યા વિના જણાયા કરે છે. જે સ્વયં જણાય છે તેને શું જાણવું? ૩) મારે ધર્મના પરિણામ પ્રગટ કરવા છે તે પહેલી ભૂલ હતી અને પછી જાણેલો પ્રયોજનવાન તે બીજી ભૂલ હતી. હવે ખ્યાલ આવ્યો કે-પરદ્રવ્યને પ્રગટ કરીને પછી તેને જાણવા તે બન્ને ભૂલ હતી. જે પ્રગટે છે તેને જાણું? ના. જે પ્રગટ છે તેને જાણવું તેનું નામ સમ્યગ્દર્શન છે. ૪) પરિણામ પરદ્રવ્ય છે તેથી તેની સાથે કર્તાકર્મ સંબંધ તો લાગુ પડતો નથી. પરમાર્થે સ્વસ્વામિ સંબંધ તો છે જ નહીં પરંતુ વ્યવહાર પણ અસ્વામી સંબંધ લાગુ પડતો નથી. ૫) પરિણામને પરદ્રવ્ય કહેતાં જ તેની સિદ્ધિ સામાન્ય દ્રવ્યથી સર્વથા ભિન્નતારૂપ જ થાય છે. સર્વથા ભિન્નમાં આવ્યો છું અને દૃષ્ટિ પ્રગટી શું ! ૬) જે એમ ભાવે છે કે-મારે ભવિષ્યમાં મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તેને પરદ્રવ્યની વાંછા હોવાથી મોક્ષની પર્યાય પ્રગટ નહીં થાય. તેથી હવે પરદ્રવ્યની ભાવનાના પ્રત્યાખ્યાન કરે છે. ૭) સંવરના પરિણામ પરદ્રવ્ય છે તેથી મારા અધિકારની વાત નથી કે હું તેને પ્રગટ કરું. ૮) આજ દિવસ સુધી સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ભાવનાથી સમ્યગ્દર્શન થતું ન હતું. તેમાં તે પરદ્રવ્યનો કર્તા બની જતો હતો. ૯) અનાદિથી ખતવણી ખોટી થઈ હતી. હવે ખ્યાલ આવ્યો કે પર્યાય તો પરદ્રવ્યના ખાતામાં જાય છે... તેથી તેને સ્વદ્રવ્યના ખાતામાંથી ઉથાપે છે. ૧૦) સાધક સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરાભુખ રહે છે. તેથી પરિણામ દેખાવા છતાં દેખાતા નથી. જણાવા છતાં જણાતા નથી. કેમકે પરદ્રવ્યને જાણવાની આકાંક્ષા છૂટી ગઈ છે. ૧૧) જે પરદ્રવ્યના સ્વામિત્વને ત્યાગે છે તેને નિયમથી મોક્ષમાર્ગની પર્યાય હોય છે. ૧૨) સમયે સમયે જે અનંતી પર્યાયો પ્રગટ થાય છે તે બધી જ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય અનંત છે અને સ્વદ્રવ્ય તો એક છે. અરે ! ગુણ અનેક છે તેનો આધાર એક છે. અનેકનો આશ્રય ન હોય, આશ્રય તો એક નો જ હોય. ૧૩) જેમ પરપદાર્થને જાણતાં જ્ઞાન અને સુખ ન થાય. તેમ અહીં અધ્યાત્મમાં પર્યાયોને પરદ્રવ્ય કહ્યું છે. તેથી પરદ્રવ્યને જાણતાં જ્ઞાન અને સુખ થતાં નથી. ૧૪) જે પરદ્રવ્યથી પરાભુખ છે અને સ્વદ્રવ્યની સન્મુખ છે તે સાધક ધર્માત્મા એમ ફરમાવે છે કે આત્મા પરદ્રવ્યનો જાણનારો છે એમ જે માને છે તે દિગમ્બર Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy