________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ - ૩
૨૮૨
આત્મા પ્રત્યક્ષ થાય છે. સાતમે આનંદની બહુ ભરતી આવી જાય છે.., છઠ્ઠ આનંદની ઓટ છે. છટ્ટે આનંદનું વેદન છે પરંતુ તે પરોક્ષ છે. જ્યારે સાતમે તો પ્રત્યક્ષ છે. એ ઉપયોગ આનંદમાં એકદમ તરબોળ એકમેક થઈ જાય છે.
પ્રશ્ન:- ભાઈ ! પ્રત્યક્ષ અને પરોક્ષમાં શું ફેર છે ?
ઉત્ત૨:- ૫૨ોક્ષતા છે તે સવિકલ્પની ભૂમિકામાં છે. સવિકલ્પની ભૂમિકામાં ઉપયોગ બહાર જાય છે, પરિણતી અંદર રહી ગઈ છે. પરિણતી તો છે જ પરંતુ ઉપયોગ બહાર જાય છે અને ઉપયોગ અંદરમાં આવે છે તેમાં મોટો ફેર છે. જે ઉપયોગ બહાર જાય છે તેવી ભૂમિકાને પરોક્ષ કહેવાય અને ઉપયોગ અંદરમાં જાય તેને પ્રત્યક્ષ કહેવાય છે. દા. ત. તમને અત્યારે તમારા હોંગકોંગના ઘરનું જ્ઞાન છે તે પરોક્ષ કહેવાય. તમે પ્લેનમાંથી ઉતરીને તમારા ઘરમાં જાવ એટલે તમને થાય કે હાશ ! ઘરમાં આવી ગયા. એ ઘરમાં આવ્યા તે પ્રત્યક્ષ કહેવાય. અત્યારે પરોક્ષ છે.
પ્રશ્ન:- પ્રતીતિ અને ઉપયોગ બન્નેમાં પરોક્ષ છે?
ઉત્ત૨:- પ્રતીતિ તો એમ ને એમ છે. પ્રતીતિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ તેવા ભેદ નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ તેવા ભેદ જ્ઞાનમાં છે.
પ્રશ્ન:- પ્રતીતિ ચાલુ જ છે...!
ઉત્ત૨:- પ્રતીતિ તો પ્રતીતિરૂપ જ છે તેમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. એમાં કાંઈ ઓછું વધુ પણ નથી. છટ્ટે હો કે સાતમે તેમાં તો પૂર્ણ પ્રતીતિ છે, પરંતુ જ્ઞાનમાં ફેર છે. આ વાત ચાલે છે જ્ઞાનની. જ્ઞાનના લક્ષણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ તેવા બે ભેદ પડે છે. છઠ્ઠામાંથી સાતમામાં જાય એટલે શુદ્વોપયોગ કહેવાય. યોગ-યોગી અને યોગીશ્વર ત્રણ શબ્દો છે.
(૧) યોગ એ ભેદનું કથન,
(૨) યોગી એ અભેદનું કથન,
(૩) યોગીશ્વર એ અભેદ અનુપચારનું કથન.
શ્રોતાઃ- યોગી અભેદ ઉપચારનું કથન, યોગીશ્વર તે અભેદ અનુપચારનું કથન છે. ઉત્ત૨:- અભેદ થાય છે એ તો અનુપચાર જ છે. શુદ્ધોપયોગ તે અનુપચાર જ છે. અનુપચારમાં પણ તેની માત્રા વધી ગઈ. લીનતા વધી ગઈ માટે યોગીશ્વર કહ્યું. યોગી તો હતા, પરંતુ યોગીમાં પણ મોટા-મહાનપણું-ઇશ્વર. યોગ એટલે ઉપયોગને આત્મામાં જોડવો તે; અને એ ઉપયોગ આત્મામાં જોડાય ગયો તો તે યોગી થયા; હવે એમાં પણ વિશેષ લીન થયા તો યોગીશ્વર થયા.
અહીં પાઠમાં ‘જિન ’ શબ્દ વાપર્યો, ‘ જૈન ’ શબ્દ ન વાપર્યો. મોહનો ક્ષય થાય તો જૈન થાય. ચોથે જૈન કહેવાય, પાંચમે જૈન કહેવાય. એક અપેક્ષાએ ચોથે જિન પણ કહે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk