________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧
પડખું બતાવ્યું તે પણ જાણ્યું ખરું પરંતુ અહીં અશુદ્ધતામાં ‘ હા ’ પડી ગઈ છે એટલે અહીં શુદ્ધતામાં ‘હા ’ પડતી નથી. અને આપ કહો છો તેથી ‘ ના ’ પણ પાડી શકાય તેમ નથી. જો ‘ ના ’ પાડે તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો. મને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા છે. સર્વજ્ઞ ભગવાન કહે છે-આત્મા શુદ્ધ છે એટલે ‘ના’ પાડી શકાતી નથી. નકારમાં ડોકું ધુણાવી શકાતું નથી. અને અશુદ્ધતામાં હકારમાં ડોકું ધુણાવ્યું છે એટલે અહીંયા નકારમાં ડોકું ધુણાવી શકાતું નથી. ત્યારે તેણે છ મહિના સુધી વિચાર કર્યો.
તેમ અહીંયા કહે છે કે–વધારેમાં વધારે છ મહિનામાં થશે. આમ તો અંતર્મુહૂર્તમાં અનુભવ થશે. હવે તેને થાય છે કે-શ્રીગુરુ કહે છે તો એક અખતરો તો કરું. શ્રી ગુરુ કહે છે તું અશુદ્ધ માની બેઠો છો પરંતુ આત્મા અશુદ્ઘ થયો નથી, આત્મા તો શુદ્ધ છે. શુદ્ધતાની વાત પર ‘ના ’માં ડોકું ધુણાવતો હતો.. હવે નકાર બંધ કરી દઉં. શુદ્ધતા તરફ હકાર કરવામાં બહુ વાર લાગી કારણ કે અનાદિનું મિથ્યાત્વ છે ને ! હું શુદ્ધ છું તેમાં હિંમત જ ચાલતી ન હતી. હવે આમ સ્થિર થઈ ગયો, વિચાર કર્યો. ‘ હા ’ પણ નહીં અને ‘ના ’ પણ નહીં. હવે બન્ને બાજુ જોવા લાગ્યો પણ હા, હા, કરતો બંધ થઈ ગયો. હું મનુષ્ય છું, તિર્યંચ છું, સ્ત્રી છું, પુરુષ છું એવી અશુદ્ધતાનો હકા૨ બંધ થઈ ગયો.
હવે આગળ વધ્યો, વિચાર કર્યો કે–લાવ, અખતરો કરું. શ્રી ગુરુ કહે છે અને મને પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર શ્રદ્ધા છે. હવે શુદ્ધતા બાજુ જ્યાં આમ આમ (હા.. હા) કહી ત્યાં તો અનુભવ થઈ ગયો. તેને અતીન્દ્રિય આનંદ આવ્યો. હવે અશુદ્ધતા બાજુ (નકાર) આમ આમ કરવા માંડયો. જ્યાં નિર્વિકલ્પ ધ્યાનમાંથી જરાક ખસ્યો, સવિકલ્પ દશામાં આ બાજુ આવ્યો, પણ હવે તે હકાર કરતો નથી. છે તેને જાણે છે, તે જાણેલો પ્રયોજનવાન છે.
આહા ! શુદ્ધતાના હકા૨માં તોઅનુભવ થયો, શ્રદ્ધાન થયું અને સમ્યગ્દર્શન થઈ ગયું. અશુદ્ધતા ભિન્ન પણે રહી ગઈ. પહેલાં અશુદ્ધતામાં ( હા... હા ) આમ.. આમ કરતો હતો હવે તે હું નહીં પરંતુ જ્ઞાયક તરફ હકાર કરવા લાગ્યો.
આ વાત સમયસારમાં છે. એક બાજુથી જોઉં છું તો સંસાર દેખાય છે અને બીજી બાજુથી જોઉં છું તો મોક્ષ દેખાય છે. આ દાખલો સોનગઢમાં ભરસભામાં આપ્યો હતો. અને તેમાં નવરંગભાઈ મોદીના માતુશ્રી મોટી ઉંમરના હતા તેમને તો એવું પકડાઈ ગયું કે-ઓહો ! આ તો પ્રેકટીલ છે. આમાં કાંઈ શાસ્ત્ર ભણવાની જરૂર નહીં, નયના પ્રયોગની જરૂર નહીં. ૫૨ સાથે કાંઈ લેવા દેવા નથી. પર્યાયમાં આમ.. આમ (હકાર) કરું છું તેને બદલે હવે જ્ઞાયકમાં (હકાર) આમ.. આમ કરું, અને અહીં પર્યાયમાં (નકાર ) આમ... આમ... કરું.
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. હું જતો હતો ટ્રેઈનમાં મુંબઈ, ત્યારે બધા સ્ટેશને
Please inform us of any errors on
[email protected]