________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
પરિશિષ્ટ - ૧ મિથ્યાદેષ્ટિ ને સમ્યગ્દષ્ટિ તેમ તને બે જીવો દેખાય છે, પરંતુ અમને બે દેખાતા નથી. આ સમ્યગ્દષ્ટિ ને આ મિથ્યાષ્ટિ એવું અમને દેખાતું નથી. આ પણ ભગવાન આત્મા અને આ પણ ભગવાન આત્મા તેમ દેખાય છે.
પ્રશ્ન:- આ પણ... ભગવાન અને આ પણ ભગવાન તેમ?
ઉત્તર:- હા, અમેય ભગવાન અને બધાય ભગવાન. કેમકે અમે અમારા આત્માને ભગવાન તરીકે જોઈએ છીએ. એ નયથી જોતાં અમે ભગવાન છીએ તો એ નથી જતાં બધા આત્મા ભગવાન દેખાય છે.
આહાહા ! આ ત્રણ કળશો અમૃતના છે. ૭૦-૭૧-૭ર તે ત્રણેયની એકબીજાની સાથે સંધિ છે. આ મિથ્યાષ્ટિ અને આ સમ્યગ્દષ્ટિ તે કઈ નયનું વચન છે? તે વ્યવહારનયનું વચન છે. વ્યવહારનય જૂઠું બોલે છે. એ જૂઠાબોલાને અમે સાથ આપતા નથી. અમે સાચા બોલાને સાથ આપીએ છીએ. મારું જેવું સ્વરૂપ છે તેવું જ બધાનું સ્વરૂપ છે તેવું પ્રતિપાદન કરે તે નય સાચી છે, તે સત્યાર્થને ભૂતાર્થ છે. શુદ્ધનય ભૂતાર્થ ને સત્યાર્થ છે. સમયસાર અગિયાર ગાથાના પ્રવચનમાં પણ ગુરુદેવે એમ કહ્યું કે-શુદ્ધનય એક જ છે. શુદ્ધનયના બે ભેદ છે જ નહીં. શ્રી પ્રવચનસારની ૧૮૯ ગાથામાં આવે છે કે-રાગ જીવમાં થાય છે તે શુદ્ધનયનું કથન છે. ભાઈ ! એ શુદ્ધનયનું કથન નથી એ તો અશુદ્ધનયનું કથન છે. અહીં અત્યારે જે વાત ચાલે છે તે અપેક્ષાએ. વ્યવહારના પક્ષવાળા જીવો વ્યવહારના કથનોને આગળ કરે.
અહીંયા કહે છે કે તેમનામાં ભેદ હું કઈ નથી જાણું? મારી પાસે બીજી નય હોય તો જાણું ને કે-આ મિથ્યાષ્ટિ. એક જીવ સમ્યગ્દષ્ટિ ભાસશે તો તેના ઉપર રાગ આવશે અને મિથ્યાદેષ્ટિ ઉપર અમને દ્વષ આવશે. અમારા જ્ઞાનમાં ભેદ પડે તો વ્યવહારના ઉભી થાય.. અને તો એક મિથ્યાષ્ટિ ને એક સમ્યગ્દષ્ટિ ભાસે. પરંતુ એ બન્નેની પર્યાય જ જણાતી નથી કેમકે તે બેને જાણનારું જ્ઞાન નથી. એકને જાણનારું જ્ઞાન છે. અહીંયા પણ એક અને ત્યાં પણ એક. એક જ દેખાય છે માટે બીજો ભાવ પ્રગટ થતો નથી. સામ્યભાવ પ્રગટ થઈ જાય છે. અમે બધા આત્માને ભગવાન જોઈએ છીએ. ભગવાન છો અને ભગવાન થાઓ તેમ બધાને આશીર્વાદ આપ્યા.
જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને”, સમ્યગ્દષ્ટિ સાધક જીવોને કે કુબુદ્ધિ એવા મિથ્યાષ્ટિ જીવોને, પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? તે બેમાં મને કોઈ પણ પ્રકારનો તફાવત લાગતો નથી. તેથી હું કઈ નયથી તફાવત જાણું? કેમકે જો શુદ્ધાત્મામાં તફાવત હોય તો તફાવત જાણનારી બીજી શુદ્ધનય હોય પરંતુ તેમનામાં કાંઈ પણ તફાવત નથી.
મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ જીવ હોય તેમનો બન્નેનો આત્મા સમાનપણે શુદ્ધ રહેલો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk