SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ પરિશિષ્ટ - ૧ ગ્રહીએ એવો અમારો સ્વભાવ જ નથી. અમે તો પ્રથમથી જ શુદ્ધ છીએ. પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. શ્રદ્ધા ગુણ શુદ્ધ અને શ્રદ્ધાગુણની પર્યાય અશુદ્ધ વિપરીત છે એમ નથી. એ શ્રદ્ધાગુણની પર્યાય જ નથી. તેનાથી આગળ સાંભળ! તે તો પુગલના પરિણામ છે ભાઈ ! પ્રથમથી જ શુદ્ધતા છે.” મિથ્યાદેષ્ટિ હો! અભાવ હો! નિગોદમાં હોય તેનો આત્મા અનાદિથી.. પ્રથમથી શુદ્ધ જ છે. તે શુદ્ધ કેમ છે? તેનું હવે કારણ આપે છે. બન્ને અવસ્થામાં આત્મા અનાદિ અનંત શુદ્ધ રહેલો છે. પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધ છે. તે અશુદ્ધ થયો અને પછી અશુદ્ધતા ટળી અને પછી શુદ્ધતા પ્રગટ થઈ એમ છે નહીં. આવો ફેરફાર થાય તે આત્મા નથી. ફેરફાર પરિણામમાં થાય છે. દ્રવ્યમાં ફેરફાર થતો નથી. હવે તેનો એક ન્યાય સૂક્ષ્મ આપે છે. “તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” સમ્યગ્દષ્ટિ હોય કેમિથ્યાષ્ટિ, સંસાર અવસ્થામાં હો કે મોક્ષમાર્ગમાં, તેમનામાં કાંઈ પણ ભેદ કયા નયથી જાણે. આહા.. હા! આ સમ્યગ્દષ્ટિ છે કે આ મિથ્યાદેષ્ટિ છે તેમ જાણનારી મારી પાસે નય જ નથી. તેને જાણનારી જ ન હોય તો હું કહુને કે-આ સમ્યગ્દષ્ટિ અને આ મિથ્યાષ્ટિ. સૂક્ષ્મ વાત છે. આ દ્રવ્ય સ્વભાવના નિર્ણય વિના ધ્યાન શેના? ધ્યાનની શિબિરો લાગે છે. ચાર-ચાર, છ-છ કલાક અને ધ્યાનમાં બેસીએ છીએ. અહીં અધ્યાત્મની શિબિર લાગી છે. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મધ્યાન પ્રગટ થઈ શકતું નથી. શુદ્ધાત્મા છે તે ધ્યેય છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે-આ મિથ્યાષ્ટિ ને આ સમ્યગ્દષ્ટિ તેને જાણનારું જ્ઞાન મારી પાસે નથી. એને જે જાણે છે તેને અમે ખરેખર જ્ઞાન કહેતા નથી. તીર્થકર એમ કહે છે, સાધક એમ કહે છે, મુનિરાજ એમ કહે છે કે મારી પાસે બીજી કોઈ નય જ નથી. મારી પાસે એક જ નય છે. મિથ્યાદેષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ હો તે બન્નેને હું તો સમાનપણે શુદ્ધ જોઈ રહ્યો છું. આ શુદ્ધ છે અને આ અશુદ્ધ છે એમ મને દેખાતું નથી. પર્યાયનું જ્ઞાન મારી પાસે નથી. આહાહા...! કોઈને થાય કે તો એકાન્ત થઈ જશે? તો અમને ઈષ્ટ છે, કેમકે સમ્યક એકાન્ત થઈ જશે. સાધકને કોઈ કોઈ વાર મસ્તી ચડી જાય છે. તેમ આ કળશમાં તેમને મસ્તી ચડી ગઈ છે. અમારી પાસે એક શુદ્ધનય જ છે. બીજી નય જ નથી. અમારી પાસે એક શુદ્ધનયનું જ્ઞાન છે તેથી અમને બધા આત્મામાં કાંઈ ફેર દેખાતો નથી. અમને બધા આત્મા ભગવાન દેખાય છે. બીજી નય હોય તો કહું ને કે-આ સંસારી અને આ મોક્ષમાર્ગી. અમારી પાસે પર્યાયને જોનારું જ્ઞાન જ નથી. એક જ નય કેમ છે તેનો ન્યાય આપું છું તે સાંભળ. શુદ્ધાત્મા એક છે તેથી શુદ્ધનય એક છે. શુદ્ધાત્માના બે પ્રકાર હોત તો અમારી પાસે બે નય હોત! પરંતુ શુદ્ધાત્મા બે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy