________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
પ્રવચન નં:- ૧૩ ગાથા-પO સ્વદ્રવ્ય કહ્યું. હવે એ સ્વદ્રવ્યનો જે આધાર કારણ સમયસાર એમ કેમ કહ્યું? કે સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ એવું કારણ સમયસાર તેને આધારે સ્વદ્રવ્ય રહેલું છે. પરંતુ આ લક્ષ્યને આ લક્ષણ, આ આધારને આધેય તેવા બે ભેદ પણ વસ્તુમાં છે નહીં. એ તો સમજાવવા માટે આ પારિણામિકભાવને આધારે આ સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય અને પરમ પરિણામિકભાવ તેનો પ્રદેશભેદ નહીં હોવાને કારણે આધાર-આધેય એ પણ વ્યવહારનયનું વચન થઈ જાય છે. હું હવે આધાર-આયના ભેદને છોડીને મારા ઉપયોગને સ્વદ્રવ્યમાં જોડી દઉં છું... ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. તા. ૨૫/૫/ ૭૯ પ્રવચન નં- ૧૩ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર
આ નિયમસારજી શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર શુદ્ધાત્મ સ્વભાવનો અધિકાર એ જે શુદ્ધનયનો વિષય છે અથવા તે સમ્યગ્દર્શનનો વિષય છે. અથવા જેને સમ્યકુચારિત્ર પ્રગટ થાય તેનો આ વિષય છે. અંતર્મુખ થયેલા પરિણામ કેવા આત્માને ઉપાદેય કરે છે તે વાત ચાલે છે.
પરિણામ અનંત પ્રકારના છે પરંતુ તેનો વિષય એક જ છે. પરિણામોનો વિષય અપરિણામી આત્મા અથવા ત્રિકાળી શુદ્ધ સામાન્ય એકરૂપ સ્વભાવભાવ છે, જેમાં પર્યાયનો અભાવ છે. જેમાં એટલે આત્માના સ્વભાવમાં પરિણામનો અભાવ છે. એ પરિણામો આત્મ સ્વભાવને ભાવે છે. ભાવનાર પરિણામ છે અને તે ભાવે છે પરિણામ ત્રિકાળી સ્વભાવને એ પરિણામને આશ્રયભૂત તત્ત્વ છે તે એકજ તત્ત્વ છે. એ શુદ્ધ ભાવ-સ્વભાવનો અધિકાર છે.
૫૦ નંબરની ગાથામાં કુંદકુંદાચાર્યદવ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં સાક્ષાત સીમંધર ભગવાન પાસે ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. ત્યાં વાણી સાંભળીને આવીને આ શાસ્ત્ર લખાણાં છે. અને આ મૂળ શ્લોક ૧OOO વર્ષ પહેલાંના છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની) આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫માં શ્લોક દ્વારા) કહ્યું છે.
(શાર્દૂત્તવિવ્રીડિત). सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योति: सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५।। શ્લોકાર્થઃ- [ વાત્તચિત્તવરિતૈ: મોક્ષાર્થિfમ:] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk