________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XVIII અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ-દયા–દાન-ભક્તિ આદિ એના પ્રદેશો ઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદાં છે. આહા.. હા! પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ તો જુદાં છે જ, પણ એની પર્યાયનો અંશ જે ઊઠ જેટલા અંશમાંથી એટલા પ્રદેશો પણ, દ્રવ્ય-આત્માની અપેક્ષાએ જુદો છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૧] (૨૮) ચૈતન્યની શુદ્ધ નિર્મળ પરિણતી તે આધાર, આત્મા આધેય. આહા ! આહીં તો એ
જ સિદ્ધ કરવું છે ને ! નહીંતર તો પર્યાય છે તે દ્રવ્યમાં નથી, વર્તમાન પર્યાય પ્રગટ છે એ સિવાયની પર્યાયો બધી દ્રવ્યમાં છે, બાહ્ય નથી. પણ વર્તમાન પર્યાય છે એ દ્રવ્યમાં નથી. એ શું કહ્યું? આત્મામાં જે અનાદિ-અનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય, ઈ દ્રવ્યમાં નથી. ભિન્ન છે એનું સત્ ! ભૂત ભવિષ્યની પર્યાયો અંદરમાં ગઈ છે એ દ્રવ્યમાં છે આહા ! અને વર્તમાન પર્યાય પ્રગટ વિનાનો કોઈ દિ' એનો કાળ હોય નહીં. એ પ્રગટ પર્યાય અને વસ્તુ (આત્મ દ્રવ્ય) બેની સત્તા પ્રદેશ ભિન્ન છે તેથી તેની (બન્નેની) સત્તા ભિન્ન છે. આહા...! હા..! આવી વાત છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૨ ] (૨૯) (કહે છે) તેમને અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને અને તેમને એટલે પુણ્ય
પાપનાં ભાવ આદિને, પ્રદેશભેદ હોવાથી, અત્યંત ભેદ છે. જેમાંથી (પુણ્ય-પાપ) ઉત્પન્ન થાય. જેટલા ક્ષેત્રમાંથી એ પ્રદેશ ભિન્ન છે. જડના પ્રદેશો જડના ભાવ, એ જે પ્રદેશ છે ચૈતન્યના, પણ ઈ પ્રદેશ છે ઈ ભિન્ન પ્રદેશ છે. આહા.. હા! અત્યંત ભિન્ન છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ ને નોકર્મ નથી.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૩૧] 30) આંહીતો વિકારમાં લીધું છે... પણ નિર્વિકારી પરિણતી થાય, એનાય પ્રદેશ જુદા
છે. કેમ કે બે ભાવ થયાને! એક ધ્રુવ ભાવ છે અને એક પરિણતી ભાવ છે. બે ભાવ થયા માટે બેય ભાવના પ્રદેશ જુદા છે. શુદ્ધ પરિણતીના પ્રદેશ જુદા છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૯૧] (૩૧) આંહીતો વિકારાના પ્રદેશો ભિન્ન કહ્યાં, નહિતો નિર્વિકારમાંય પણ (પર્યાયના)
પ્રદેશ ભિન્ન છે. નિર્વિકારી પરિણતી અને અશુદ્ધ પરિણતી બેય, એ પર્યાય છે માટે એટલા અંશ-પ્રદેશ ભિન્ન છે. એ “ચિવિલાસ”માં આવે છે. “ચિવિલાસ”માં એમ કહ્યું કે નિર્મળ પરિણતીના પ્રદેશ ભિન્ન છે ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતી તે પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. સમજાણું કાંઈ....
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૮૨]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk