SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨૦ પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ જાણવા જ્ઞાન રોકાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. આહા.. હા ! જ્ઞાન બહુ આઘે (દૂર ) જતું નથી. દેવ-ગુરુશાસ્ત્ર તરફ તો જતું નથી પરંતુ પુદ્ગલના પરિણામ તરફ પણ જતું નથી. પરંતુ સમ્યગ્દર્શન થતાં થોડો આનંદ પ્રગટ થયો તેના ભેદમાં જ્ઞાન જાય છે.. તો જ્ઞાન દબાઈ જાય છે. તેથી મારા માટે તે પરદ્રવ્ય છે. અને જ્યાં સ્વદ્રવ્યમાં ઉપયોગ આવ્યો તો જ્ઞાન ઉઘડી જાય છે. ભેદને જાણવામાં દબાઈ જાય છે અને આમાં વિકાસ પામે છે. આત્માને જાણવામાં વિકાસ પામે છે. આ ઊંચા પ્રકારની વાત છે. આ વાત અત્યારથી સમજવા જેવી છે. ભવિષ્યમાં શ્રેણી આવશે તેથી જો તેં અત્યારથી નક્કી કર્યું હશે તો તારો ઉપયોગ ભેદમાં જશે નહીં. આ બધું પહેલેથી નક્કી કરી લેવા જેવું છે. દીકારા-દીકરીના સગપણ થાય તો તે પહેલેથી જ નક્કી કરે કે નહીં ? આ બાબુભાઈના દીકરાની શ્રીફળ વિધિ છે તો બધો પોગ્રામ નક્કી કરે કે નહીં ? વાડીનોને, જમણનો ને કંકોત્રી લખવાનો વગેરેનો. એ બધાં પ્લાન પહેલેથી જ હોય છે. પ્લાનિંગ હંમેશાં પહેલેથી હોય છે. આહા.. હા ! જ્ઞાનીને આટલી તો ભેદની ઉપેક્ષા વર્તે છે. તેને ખેદ થાય છે કે-ભેદ તરફ મારું જ્ઞાન ગયું. શ્રદ્ધા ભેદ તરફ જતી નથી.. પરંતુ જ્ઞાનનો ઉપયોગ ભેદ ત૨ફ જાય છે.. તો જ્ઞાન દબાઈ જાય છે. કેમકે ૫દ્રવ્યને જાણતાં મને જ્ઞાન પણ નથી અને સુખપણ નથી... કેમકે તે પદ્રવ્ય છે. ખરેખર તો જીવનો જે ભેદ છે તેને અધ્યાત્મમાં પદ્રવ્ય કહેવાય.. અને આગમથી છ દ્રવ્ય જે આત્માથી ભિન્ન છે તેને પરદ્રવ્ય કહેવાય, તે આગમપદ્ધતિ છે. અત્યારે તો શુદ્ધભાવ અધિકારમાં અધ્યાત્મ પદ્ધતિની વાત ચાલે છે. આહા ! અહીં છ દ્રવ્ય પદ્રવ્ય છે. છ દ્રવ્ય પદ્રવ્ય છે તેમ પણ યાદ કરવા જેવું નથી. છ દ્રવ્યનું અસ્તિત્વ છે કે નહીં ! તે અમે અત્યારે જાણતાં નથી. અરે ! છ દ્રવ્યથી તો વિમુખ થવા જેવું છે હવે તેની સ્થાપ્નામાં કયાં રોકાવું છે ? અરે ! જીવના પરિણામ પ્રગટ થાય છે જે ભેદ એ છે એમ સિદ્ધ કરવા પણ મારા જ્ઞાનને કયાં રોકાવું છે? આહા.. હા ! હું તો અભેદ સામાન્ય છું તેમાં જ્ઞાનને સ્થિર કરવું છે. એમાં જ્ઞાન સ્થિર થતાં તે ભેદના વલણથી અસ્થિર થઈ જાય છે. નહીંતર જ્ઞાનને અસ્થિરતાનો દોષ લાગતો હતો. આ ઊંચા પ્રકારની વાત છે. ગઈકાલે તે ભાઈ કહેતા હતા કે-જે આવે તે આવવા ધો! આહા ! ભગવાન આત્માની વાર્તા તો અપૂર્વ છે. એમાં પણ તું આ શુદ્ધભાવ અધિકાર સાંભળીશને તો ધ્યાન રાખજે કે હવે તારે સંસારમાં રહેવું હશે ને તો પણ આ શુદ્ધભાવ તને રહેવા નહીં ધે. એવું તો આ નિમિત્તમાં વિશેષપણું છે. આ નિમિત્તની પ્રધાનતાથી વાત કરું છું હોં ! એટલો આંતરો પાડીને આ વાત કરું છું. નિમિત્તના આટલા બધા વખાણ ? અરે.. ભાઈ ! જે આ શુદ્ધાત્માને હથેળીમાં Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy