________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૧૮
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ થાય છે. અરે ! ભેદને જાણવા જાય તો શ્રેણી પણ આવતી નથી... તો પછી કેવળજ્ઞાનની વાત તો કયાંય રહી ગઈ. શ્રેણી વખતે તો એકલો અભેદ સામાન્ય આત્મા ઉપયોગાત્મકપણે આત્માને જાણે છે. ઉપયોગાત્મકપણે એટલે ઉપયોગાત્મક થઈને ધારાવાહીક ભગવાન આત્માને ઉપાદેયપણે જાણે છે. જો બે ઘડી, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત આત્માને જાણવામાં રોકાય જાય તો કેવળજ્ઞાનની પ્રગટતા થાય છે. સાતમે શુદ્ધોપયોગ હતો અને છ અશુભ ઉપયોગ તો નથી, પરંતુ શુભઉપયોગ છે, એટલો ચારિત્રનો દોષ છે. એ દોષનું કા૨ણ એ છે કે.. અનાદિની ભેદવાસિત બુદ્ધિ હતી ને! એટલે ભેદને જાણવા, ભેદમાં ધ્યેયને જાણવા ઉપયોગ ચાલ્યો જાય છે. ( અંશમાં અંશીને જાણવા ઉપયોગ ચાલ્યો જાય છે.)
અભેદના જ્ઞાનપૂર્વક ભેદના જ્ઞાનને ઉપયોગ ભલે જાણે ! એ ઉપયોગ પરસત્તાવલંબનશીલ થઈ ગયો છે. તે ઉપયોગ મોક્ષને સાધતો નથી. જીવના નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ, સમ્યગ્દર્શનના ભેદો, સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ભેદને જાણવું તે પરદ્રવ્યને જાણવું છે. એ ૫૨દ્રવ્યને જાણતાં તેને દોષ લાગે છે. તેને જ્ઞાનમાં શ્રેણી આવતી નથી અને કેવળજ્ઞાન થતું નથી. તેને જે અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે તે યથાખ્યાતચારિત્રને બાધક છે અને તે કેવળજ્ઞાનને પણ બાધક છે, તે શ્રદ્ધાને બાધક નથી.
,,
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે ) તેઓ હેય છે. ” વ્યવહારનયના કથન દ્વારા એટલે વ્યવહારનયની પ્રધાનતાથી જોવામાં આવે તો તેને ઉપાદેય કહેવામાં આવ્યા હતા, એટલે કે જાણેલો પ્રયોજનવાન છે તેમ કહેવામાં આવ્યા હતા. કયા ભેદો ? જે વિભાવગુણ પર્યાયો છે તેને જાણેલો પ્રયોજનવાન છે તેમ કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચયનયના બળે તેઓ હેય છે.
એ ભેદો એટલે પરિણામો શ્રદ્ધામાંથી તો હૈય છે જો શ્રદ્ધામાં એ પરિણામ ઉપાદેય હોય તો મિથ્યાદર્શન હોય. હવે જો એ ભેદો જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય તો શુદ્ધોપયોગ રહેતો નથી, માટે તે અપેક્ષાએ પણ હૈય છે. આહા ! ઝીણી વાત છે! તેઓ શુદ્ધનિશ્ચયનયે હૈય છે. જાણેલો પ્રયોજનવાન છે તો તે સવિકલ્પદશા થઈ ગઈ.. તો તારે ભેદને જાણવું છે કે તારે અભેદને જાણવું છે ? ભલે તને અભેદ દૃષ્ટિમાં આવી ગયો પરંતુ જે દૃષ્ટિનો વિષય છે તેને જ તારા ઉપયોગનો વિષય બનાવ તો કેવળજ્ઞાન થશે, નહીંતર કેવળજ્ઞાન નહીં થાય. ભેદોને જો ઉપાદેયપણે જાણે તો તો તે મિથ્યાર્દષ્ટિ છે. આહાહા ! એ ભેદને જાણવા રોકાય તો તે ચારિત્રને બાધક છે. ભેદનું જ્ઞાન કેવળજ્ઞાનને બાધક થાય છે. કેમકે છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોતો નથી, તે ઉપયોગ ભેદોને જાણવા જાય છે.
અનાદિકાળથી જીવોની ભેદવાસિત બુદ્ધિ હોવાથી, તેની બુદ્ધિ ભેદવાસિત છે ને ?
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk