________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ નહીંતર તું શુકલધ્યાનની ક્ષપકશ્રેણી તું માંડી શકીશ નહીં. માટે અત્યારથી તેના પ્રત્યાખ્યાન કરી લેજે. આ ભેદરૂપ વ્યવહારપણ મને જોઈતો નથી, હું તો એક અભેદ શુદ્ધાત્માની ભાવના ભાવું છે.
આવા આત્માને જે અંતરંગમાં દેખે છે તેવા સાધક આત્માને, જે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી ગયા છે તેવા આત્માને તે વ્યવહારનય કાંઈ નથી. આહા.. હા ! સમયસાર શાસ્ત્રમાં છે કે વ્યવહારનયનું શરણ લેવા જેવું નથી. તેને છોડો.. છોડો ! તેનો ત્યાગ કરો. કેમકે તે નિષેધ કરવા યોગ્ય છે. તો પ્રશ્ન કર્યો કે-આ પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણ... નો નિષેધ કરશો તમે તો મુનિઓને કોનું શરણ રહેશે? જો મુનિને કાંઈ શરણ નહીં રહે તો પછી મુનિ અશરણ થઈ જશે. તો કહે છે--ના, ના.. તને કાંઈ ખબર નથી. મુનિઓને શુદ્ધાત્માનું શરણ છે-તે અશરણ નથી.
વળી ( આ ૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.)
શ્લોક - ૭૩
(સ્વીતા ) शुद्धनिश्चयनयेन विमुक्तौ संसृतावपि च नास्ति विशेषः। एवमेव खलु तत्त्वविचारे
શુદ્ધતત્ત્વરસિT: પ્રવત્તિના ૭રૂ ા [શ્લોકાર્થ-] “શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;” આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં (-પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.
શ્લોક - ૭૩ : ઉપર પ્રવચન “શુદ્ધનિશ્ચયનયથી” એકલી નિશ્ચયનય ન કહેતાં શુદ્ધનિશ્ચયનયથી નય એટલે જ્ઞાનનો વ્યાપાર. જે આત્મા શુદ્ધ છે તેની સન્મુખ થઈને, શુદ્ધાત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે જાણે છે. તેનું નામ શુદ્ધનિશ્ચયનય દ્દેવામાં આવે છે.
“શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;” મુક્તિમાં રહેલા જીવો અને સંસારમાં રહેલા જીવો એ બેમાં અમને કાંઈ તફાવત લાગતો નથી. મુક્ત અને સંસારી બન્ને સરખાં? અરે! સાંભળ! ભવિને અભવી બન્ને સરખાં છે જા ! શુદ્ધનયથી ભગવાન આત્માને જોવામાં આવે તો અમને કોઈ સંસારી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk