________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૯ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યજ્ઞાન હોવું જોઈએ.” શુદ્ધાત્મદ્રવ્યનું-શુદ્ધભાવનું એટલે ઉપાદેય તત્ત્વનું તેમજ તેના પર્યાયરૂપ કહેતાં શુદ્ધદ્રવ્યના શુદ્ધપર્યાયો અધ્યાત્મ પ્રમાણમાં આવે અને આગમ પ્રમાણમાં રાગ પણ આવી જાય છે. એ બન્ને પર્યાયરૂપ સમ્યજ્ઞાન છે પરંતુ તે મિથ્યાજ્ઞાન નથી. દ્રવ્યને અને પર્યાયને જે જ્ઞાન જાણે તે જ્ઞાન તે જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી. પરંતુ સમ્યજ્ઞાન હોય છે.
પોતાને કથંચિત્ વિભાવ પર્યાયો વિદ્યમાન છે, એવો સ્વીકારજ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોય શકે નહીં.” “છે' એનું જ્ઞાન ભલે ન હોય પરંતુ પર્યાયો પરપણે પણ તે “છે” તો ખરીને ! પર્યાય અવસ્તુ છે એમ નથી. અહીં કહે છે કે આવો સ્વીકાર પણ જે જ્ઞાનમાં જાણવામાંથી પણ ઉડાડે તો તે જૈનમતમાં નથી. પર્યાયને ઉપાદેય માટે ઉડાડે તે તો ઇષ્ટ છે. પરંતુ જ્ઞાનમાં સ્વીકાર ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં.
કોઈ કહે કે અમારે ભેદનું શું કામ છે? અમારી સામે પર્યાયનું નામ લ્યો માં? આવા જીવોને પર્યાયનું નામ લેતાં આવા જીવોને સૂગ ચડી જાય. પર્યાયનું નામ હજુ લ્ય ને ત્યાં તો સૂગ ચડી જાય એટલે તેને પર્યાય પ્રત્યે દ્વેષ આવે છે. ભેદપ્રત્યે જેને દ્વેષ આવે છે તેને અભેદનું જ્ઞાન થઈ શકતું નથી. અને અભેદ પ્રત્યે જેને રાગ આવે છે તેને પણ આત્માનો અનુભવ થતો નથી. શબ્દ છે-“શુદ્ધાત્મદ્રવ્યનું પણ”, શું કહે છે-પર્યાયનું જ્ઞાન સાચું નથી તેને શુદ્ધાત્મદ્રવ્યનું જ્ઞાન નથી. જેને પર્યાયનું સાચું જ્ઞાન નથી તેને શુદ્ધાત્મ દ્રવ્યનું જ્ઞાન પણ સાચું હોઈ શકે નહીં.
“વ્યવહારનયના વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.” વ્યવહારનયના વિષયનું પણ, એટલે કે વ્યવહારનયનો વિષય ભેદ-પર્યાય છે. પછી તે વ્યવહાર પરાશ્રિત હો કે ભેદાશ્રિત હો ! એવા અસબૂત ને સદ્ભુત વ્યવહારનયનો વિષય જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય છે. વ્યવહારનયનો વિષય ભેદ છે. એ વિષયોનું જ્ઞાન પણ ગ્રહણ કરવા યોગ્ય છે. આ ઉપાદેયનો અર્થ ચાલે છે.
વ્યવહારનય ઉપાદેય એમ લખ્યું છે ને ! ? ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ગ્રહણ કરવા યોગ્ય એટલે જાણવા યોગ્ય–તે ઉપાદેયનો અર્થ છે. જાણેલો પ્રયોજનવાન તે ઉપાદેયનો અર્થ ચાલે છે. “વ્યવહારનયનાં વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.” ઇન્દુ કોમા કર્યું છે ને? વ્યવહારનયના વિષયનું પણ, એટલે દ્રવ્યનું જ્ઞાન કરવા જેવું છે.. પરંતુ સાથે-સાથે પર્યાયોનું જ્ઞાન પણ ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે જાણવા યોગ્ય છે. આ ગ્રહણનો અને ઉપાદેયનો અર્થ ચાલે છે.
આહી... હા! શબ્દો થોડા અને ભાવો ઝાઝા છે. શબ્દો લિમિટેડ અને ભાવો અનંત છે. એક-એક શબ્દનો જ્યાં જેવી રીતે અર્થ થતો હોય ત્યાં તેવી રીતે સમજવો જોઈએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk