SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ ચારિત્રના પરિણામ છે. એ પણ સભૂત વ્યવહારનયનો વિષય છે. એ વ્યવહાર છે તે ભેદાશ્રિત છે. શુભભાવ છે તે પરાશ્રિત છે. તે પણ બે પ્રકારના છે. (૧) અસત્કૃત અને (૨) સભૂત વ્યવહાર હવે અહીંયા કહે છે કે-એક વ્યહારનય છે અને એક નિશ્ચયનય છે. નિશ્ચયનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. એ શ્રુતજ્ઞાનમાં શુદ્ધનયથી એટલે નિશ્ચયનયથી ભગવાન આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે સાધક એમ જાણે છે કે-વર્તમાનમાં હું આઠ ગુણોથી સહિત છું. સંસારી જીવોને આઠ ગુણ વર્તમાનમાં પર્યાયમાં પ્રગટ થયા નથી. જેમ સિદ્ધ પરમાત્માને પ્રગટ થયા છે તેમ સંસારી જીવને પ્રગટ થયા નથી. તેને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ હજુ પ્રગટ થયા નથી. પરંતુ શુદ્ધનયના બળે એટલે જે દ્રવ્યને જોનારું જ્ઞાન છે તે દ્રવ્ય નિક્ષેપથી ભાવિમાં પ્રગટ થનારી પર્યાયના દર્શન કરી લ્ય છે. આહાહા ! કઠણ પડ બિન અનુભવીને-અનુભવી તો જેમ હોય તેમ જાણી લે છે કે આ કથન ૧OO પ્રશ્ન- વસ્તુનું જ્ઞાન દ્રવ્યનિક્ષેપથી ભાવિમાં થવાવાળી પર્યાયને જાણી લે છે? ઉત્તર:- જાણી લે છે કેમકે નયનો વિષય નિક્ષેપ છે. આહા! નયનો વિષય નિક્ષેપ હોવાથી તે ભાવિ નૈગમનથી પણ પર્યાયના દર્શન કરી લે છે. અને દ્રવ્ય નિક્ષેપથી પણ જાણી લ્ય છે. આહા ! નયનો વિષય ભાવિને પણ જાણવાનો છે. તે અવ્યક્ત અપ્રગટને પ્રગટ સમાન જાણે છે. આહા... હા ! એ જ્ઞાનનો મહિમા અને શક્તિ અચિંત્ય છે. અજ્ઞાનીને ઘડીકમાં બેસે એવું નથી. તે ભાઈનો પડકાર આવે છે સત્યવાત છે. આમાં ભાષાનું કામ નથી. એ રાજકોટ ચર્ચામાં કહ્યું હતું, એ વખતે સભામાં હું બેઠો હતો. આ કાને સાંભળેલી પ્રત્યક્ષ વાત છે. એ વખતે ઘણાં હતા, પછી અંદરમાં ખળભળાટ થઈ ગયો. આ શું નવી વાત આવી ? બધા મુમુક્ષુ ઘરે આવ્યા અને એક સાથે પ્રશ્ન ઉઠાવ્યો ગુરુદેવે આ શું કહ્યું? શ્રુતજ્ઞાનમાં વળજ્ઞાનના દર્શન થાય? હોય એના દર્શન થાય. ન હોય તેના દર્શન કયાંથી થાય? અરે! મૂરખા, જે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ભવિષ્યમાં થવાનું છે તેને વર્તમાનનું જ્ઞાન જાણી લ્ય છે. આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર થશે તે જ્ઞાન જાણી લ્ય છે કે નહીં? શું નથી જણાતું? જણાય જાય છે. તેમ શુદ્ધનિશ્ચનયના બળે એટલે આત્માના આશ્રયથી પ્રગટ થયેલું અતીન્દ્રિયજ્ઞાન જે નિર્મળ, સ્વચ્છ, નિર્વિકારી, અકષાયી છે. તે અતીન્દ્રિયજ્ઞાનની તાકાત અચિંત્ય છે. આહા.... હા ! એક સમયની જ્ઞાનની આટલી તાકાત તો દેવાધિદેવ જ્ઞાયક પરમાત્માની શું વાત કરવી ! તે આઠ ગુણોથી સહિત છે. તેની પુષ્ટિથી તુષ્ટ છે. આહા ! આનાથી ભગવાન આત્મા પોષાયેલો છે. આ નિયમસારમાં છે કે આત્મા આઠ ગુણોથી સહિત છે. આ સિવાય કોઈ જગ્યાએ આ વાત નથી. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy