________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૧ સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મજરામરણથી રહિત અને સમ્યકત્વાદિ આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે (-સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે).
તા. ૨૨/૫/ '૭૯
ગાથા - ૪૭ : ઉપર પ્રવચન “શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે” આ મૂળ શરત છે. આ આત્મા સિદ્ધ જેવો છે. કઈ નયે ? શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાય. એકલી દ્રવ્યાર્થિકનયે નહીં પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયના અભિપ્રાય એટલે તેના બળે સંસારી જીવોમાં અને મુક્તજીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. શુદ્ધનયથી જોવામાં આવે તો સંસારી જીવો છે તે સિદ્ધ સમાન છે. તે સિદ્ધ જેવા છે. સિદ્ધમાં અને સંસારી જીવોમાં કાંઈ તફાવત નથી.
શુદ્ધ દ્રવ્યાર્થિકન, પર્યાયના ભેદને ગ્રહણ કરતી જ નથી. પરંતુ તે સામાન્ય શુદ્ધભાવને ગ્રહણ કરે છે. શક્તિએ જે આઠ ગુણો રહેલા છે તે કહેશે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ થઈ તો એ નયે જોવામાં આવે તો મારો આત્મા પણ સિદ્ધ સમાન છે. જે વ્યક્તિને જોવે છે તેને વ્યવહારનય કહે છે. શક્તિને જોવે તે દ્રવ્યાર્થિકાય છે. પ્રથમ શક્તિને જ પછી વ્યક્તિ તો જણાય જશે. તેને જોવી નહીં પડે. વ્યક્તિ એટલે પર્યાય.
હવે આગળ વાત કહે છે-“જે કોઈ અતિ આસન્નભવ્ય જીવો થયા” અત્યાર સુધી જે કોઈ અતિ આસન્નભવ્ય જીવો થયા “તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસાર કલેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા”, જેટલા આસન્નભવ્ય જીવો થયા તેમાં સમ્યગ્દષ્ટિ થયા, અરિહંત થયા કે સિદ્ધ થયા તેઓ પણ પૂર્વની અવસ્થામાં, ભૂતકાળની અવસ્થામાં, સંસાર અવસ્થામાં તેઓ સંસાર કલેશથી થાકેલા હતા. રાગ-દ્વેષ અને મોટું તેનું નામ સંસાર છે. આ કુટુંબ, પરિવાર, ધન, દોલત તે કાંઈ સંસાર નથી. જીવની અશુદ્ધ પરિણતી તેનું નામ સંસાર છે. સ્વભાવથી ખસી જવું તેનું નામ સંસાર છે. પરિણતી સ્વભાવથી શ્રુત થાય છે હોં ! આત્મા તો અય્યત છે.
સંસરણ ઇતિ સંસાર” સ્વભાવમાંથી સરી જવું, પરિણતીનું ખસી જવું અને પરિણામમાં રાગ-દ્વેષ, મોહની ઉત્પત્તિ થવી તેને પરમાત્મા સંસાર તત્ત્વ કહે છે. સંસાર તત્ત્વ નથી જડમાં, નથી કર્મમાં અને નથી સંયોગમાં કે નથી શુદ્ધાત્મામાં કે નથી શુદ્ધોપયોગમાં. સંસાર તત્ત્વ એક સમયની શુભ-અશુભ જે પરિણતી ઉત્પન્ન થાય છે તેમાં છે. વિભાવભાવ તે આસ્રવતત્ત્વ છે. પુણ્ય, પાપ, આસ્રવતત્ત્વ તે સંસાર છે. પુણ્યના પરિણામ પણ સંસાર અને પાપના પરિણામ તે પણ સંસાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk