SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૭૯ જાણવા યોગ્ય છે તેમ તું માને છે. હજુ તારે આ ભેદને ક્યાં સુધી તારે જાણવા છે? એક અભેદને જાણી લે તો ભેદો પ્રત્યક્ષપણે જણાય જશે. ભેદની સન્મુખ થયા વિના ભેદો જણાય જશે. કેવળજ્ઞાનમાં બધું જણાય જશે. ન્યાલચંદભાઈ સોગાનીજી તો કહે છે કેઅમને તો બસ આનંદ જોઈએ, અમને જ્ઞાન નહીં. જ્ઞાન તો કેવળજ્ઞાન થશે ત્યારે બધું જણાઈ જશે. તેથી કેવળજ્ઞાનનો-જાણવાનો પુરુષાર્થ નથી. અમને તો સુખ જોઈએ છે એટલે વારંવાર ઉપયોગ અંદરમાં લગાવે છે. નિજ પરમાત્મ ભાવના અંતિમ ભાવના આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું છે કરવું? તો આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક ત્રણ લોકમાં ત્રણ કાલમાં મનવચન કાયાથી અને કૃત-કારિત-અનુમોદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યકશ્રદ્ધાન, સમ્યકજ્ઞાન અને સમ્યક અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનશાનથી સ્વસંવેધ, ગમ્ય, પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષયવ્યાપાર, મનવચનકાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવપરિણામોથી રહિત શૂન્ય હું છું. સર્વ જીવો પણ આવાજ છે, એવી નિરંતર ભાવના કરવી. (શ્રી પરમાત્મા પ્રકાશમાંથી ક Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy