________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ શ્લોક - ૬૬
(દુતવિનંવિત) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम्। सहजनिर्मलशर्मसुधामयं
समरसेन सदा परिपूजये।। ६६ ।। [શ્લોકાર્થ-] જે અનાકુળ છે, *અય્યત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ ( સમતાભાવ ) વડે સદા પૂછું છું. ૬૬.
શ્લોક – ૬૬ : ઉપર પ્રવચન આ કળશમાં આત્મા માટે “છે” વિશેષણ લગાડ્યું છે. “જે અનાકુળ છે”, “છે” તે કોનું વિશેષણ છે? તે દ્રવ્યનું વિશેષણ છે; છે, છે ને છે. થાય છે અને જેમાં મોટો જમીન આસમાન જેટલો ફરક છે. પૂર્વ-પશ્ચિવ જેટલો ફેર છે. છે અને થાય છે તેમાં મોટો ફેર છે. “છે” તે કેવું છે? તે અનાકુળ આનંદથી ભરેલો પરમાત્મા છે. “તે અશ્રુત છે”, એટલે જે પોતાના પરમ સ્વભાવથી વ્યુત થતો નથી. તે પરમ પારિણામિક ચૈતન્ય સામાન્ય તત્ત્વ તેનાથી ટ્યુત થઈ અને તે વિશેષરૂપ થઈ જાય છે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. તે નિજભાવને છોડતો નથી અને તે પરભાવરૂપે થતો નથી.
એવા કથન આવે કે-આત્મા પ્રુત થયો અરે! એતો પરિણામનું વિશેષણ છે. અય્યત છે તે દ્રવ્યનું વિશેષણ છે. તેમ આવે કે તે આત્મા સ્વભાવથી ભ્રષ્ટ થયો, જ્યારે આત્મા સ્વભાવથી શ્રુત થાય છે ત્યારે તે રાગાદિરૂપે પરિણમે છે. આ બધા પરિણામના વિશેષણો છે. તે બધાં જાણવાના વિષયો છે. તે અનાત્માની વાત છે. એ વાત અજીવના ભેદની છે. તે અજીવની વાત છે.. જીવની વાત નથી. જીવ તો ત્રણેકાળ અય્યત છે આ શુદ્ધભાવ અધિકાર છે ને! આ ટોંચના બોર છે તે બહુમીઠાં હોય. | મારા પિતાજી કહેતા હતા કે બોરડીમાં છેલ્લે ઊંચે જે બોર હોયને તે બહુ મીઠાં હોય. ત્યાં જ સૂડા ( પોપટ) ચાંચ મારે. તેમ આ શુદ્ધભાવ અધિકાર ભારતનો ભગવાન છે. આમાં ભગવાન થવાના મંત્રો લખેલા છે. એ ભગવાન કોણ થાય છે? તો કહે છેહું ભગવાન છે તેને જે ભજે છે તે પર્યાયે ભગવાન થાય છે. માટે થાય છે. શું કહ્યું? ભગવાન છે માટે ભગવાન થાય છે. પરમાત્મા છે માટે પરમાત્મા થાય છે. થાય છે તો * અય્યત = અખ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk