________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
શુદ્ધતા પ્રગટ થાય તે હું નથી. ત્યારે તે કોણ છે?
અનિત્ય શુદ્ધતા છે ખરી. જો તેને જ્ઞાનના શેયમાંથી ઉડાડીશ તો દૃષ્ટિ પ્રાપ્ત થશે નહીં. કારણ કે જ્ઞાન ખોટું થશે તો દૃષ્ટિ પણ ખોટી થશે. તો પછી તું કોના પ્રત્યે ઉપેક્ષા કરીશ ? અનિત્ય શુદ્ધતા છે તે જ્ઞાનનું જ્ઞેય જ નથી તો પછી ઉપેક્ષા કોના ૫૨ કરીશ ? એને જાણ્યા વિના ઉપેક્ષા હોય શકતી નથી. પેલાભાઈ હસે છે. જે વાત આવે છે તેને બરાબર સો એ સો ટકા કહેવામાં આવે છે.
૯૭
અનિત્ય શુદ્ધતા છે ખરી પણ તે પરિણામમાં છે. તેનું નામ સંવર–નિર્જરા અને મોક્ષતત્ત્વ છે. તેનું નામ જીવતત્ત્વ નથી. મોક્ષનું નામ જીવતત્ત્વ નથી. પર્યાય અનિત્ય શુદ્ધ છે, હું તો નિત્ય શુદ્ધ છું. હું અને તું વચ્ચે ભેદજ્ઞાન ચાલે છે. હું તો નિત્યશુદ્ધ છું. પાઠમાં લખેલું છે ‘નિત્ય શુદ્ધ' એક-એક શબ્દની કિંમત છે. “નિત્ય શુદ્ધ ચિદાનંદરૂપ કારણ ૫૨માત્મ સ્વરૂપ ”, જુઓ ! કાર્ય ૫૨માત્મા કાઢી નાખ્યું. જીવ કાર્ય ૫રમાત્મારૂપે થતો જ નથી.
:
જીવ કારણ પ૨માત્મ સ્વરૂપે અનાદિ અનંત બિરાજમાન છે. એવા જીવદ્રવ્યને “ દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય ” એટલે શું કહે છે ? દ્રવ્યકર્મને અને ભાવકર્મને પોતાનામાં ગ્રહણ કરી લ્યે તેને યોગ્ય વિભાવ પરિણતીનો અભાવ હોવાથી એટલે કે મિથ્યાત્વનો અભાવ હોવાથી ભાવકર્મનું ગ્રહણ કરતો નથી. ભાવ કર્મનું ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. ભાવકર્મનું ગ્રહણ કરે એવો જે વિભાવ પરિણામ એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ નથી. જન્મ નથી, જરા નથી, મ૨ણ નથી, રોગ નથી અને શોક મને નથી.
કોના બળે કહે છે કે મને નથી ? શુદ્ઘનિશ્ચયનયના બળે તે શરત છે.. નહીંતર મરી જાય તે પાછો. આહા ! સમજી.. સમજીને ગ્રહણ કરવા યોગ્ય છે. આ વાત ૫૨મ સત્ય છે.
แ ચતુર્ગતિ ( ચા૨ ગતિના ) જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી તે આ પ્રમાણે છે. ” ચતુર્ગતિ અર્થાત્ ચારગતિના જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ હવે કહેવામાં આવે છે તે આ પ્રમાણે એના ભેદો કહે છે. કુળ અને યોનિના ભેદો પણ નથી. યોનિના ભેદો એટલે પ્રકારો પણ જીવને નથી. એક સો સાડી સત્તાણુ લાખ કરોડ કુળ છે. આ છેલ્લી લીટીમાં છેલ્લે લીધેલું છે.
આ કુળના ભેદો કેટલા છે ? એકસો સાડી સત્તાણુંલાખ કરોડ. એકલા લાખ નહીં, આટલા લાખ કરોડ કુળ છે તે જીવને નથી.
“ પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ પ્રશ્ન:- આ બધું ભગવાનના જ્ઞાનમાં આવે છે ને ?
ઉત્ત૨:- ભગવાનના જ્ઞાનમાં તો આવે છે પરંતુ તે જીવમાં નથી એમ પણ આવ્યું
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk