SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७४ પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ જીવત્વ પારિણામિક તે અંદરમાં છૂપાયેલું છે. અને જે શુદ્ધ જીવત્વ પારિણામિક ભાવ છે તે ખરેખર આત્માનું લક્ષણ છે-એ જ ખરેખર આત્મા છે. આ રીતે પાંચ ભાવોનું કથન જાણવા માટે કર્યું. આ પાંચ ભાવો મધ્ય ક્ષાયિકભાવ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય અરિહંતને હોય છે. જે અરિહંત પરમાત્મા અને સિદ્ધોને આ ભાવ હોય છે. આ ક્ષાયિકભાવ કાર્યસમયસારરૂપ છે. તે કારણરૂપ નથી પરંતુ કાર્યરૂપ છે. “તે (સાયિકભાવ) ત્રિલોકમાં પ્રલોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાસ થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને”, “પ્રક્ષોભ = ખળભળાટ [ તીર્થંકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણલોકમાં આનંદમય ખળભળાટ થાય છે.] તીર્થકરપણા વડે પ્રાપ્ત થતાં એટલે તીર્થકરોને પણ આ ક્ષાયિકભાવ હોય છે. સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવળીનેતીર્થકરને પણ અરિહંત કહેવાય છે. સામાન્ય કેવળીને પણ અરિહંત કહેવાય છે. અરિહંતને ક્ષાયિક ભાવ હોય છે. એ ક્ષાયિકભાવને કાર્યસમયસાર પણ કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાનને હોય છે અને તીર્થકરને પણ હોય છે. જે સામાન્ય કેવળીને હોય છે તે સિદ્ધ પરમાત્માને તો હોય જ છે. એટલે કે-અરિહંત અને સિદ્ધને ક્ષાયિકભાવ હોય છે. એ રીતે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા થયા. અરિહંતોના ભેદોમાં તીર્થકરને અરિહંત કહેવાય અને સામાન્ય કેવળીને પણ અરિહંત કહેવાય. તેરમા ગુણસ્થાને બિરાજમાન પરમાત્મા નમો અરિહંતાણમ્ અને નમોસિદ્ધાણમ્ એ બે પદધારી પરમાત્માઓને આ ક્ષાયિકભાવ હોય છે. અને હવે જે બીજા ત્રણ પ્રકારના ભાવો કહ્યાં “ઔદયિક, ઔપથમિક અને લાયોપશમિક એ ભાવો સંસારીઓને જ હોય છે-મુક્ત જીવોને હોતા નથી.” આમાં ક્ષાયિક સમ્યગ્દર્શન ન લેવું. કેમકે ક્ષાયિક સમ્યગ્દર્શન સંસારીઓને પણ હોય છે. અહીંયા કહ્યાં તે ત્રણ પ્રકાર સંસારીઓને હોય છે. ક્ષાયિકભાવનો પ્રકાર (૧) કેવળીઓને (૨) અરિહંતને (૩) સિદ્ધોને હોય છે. હવે “પૂર્વોક્ત ચાર ભાવો” જે કહ્યાં તેમાં એક ક્ષાયિકભાવ કહ્યો અને એક ઔદયિકભાવ કહ્યો, એક ઔપથમિકભાવ કહ્યો અને ક્ષાયોપથમિક ભાવ કહ્યો. એ ચાર પ્રકારના ભેદો પરિણામના ભેદો છે. પૂર્વોક્ત ઉપર કહ્યાં તે ચાર ભાવો એટલે ચાર પ્રકારના જે પરિણામો તે “આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી.” હવે એક મુદ્દાની વાત કરે છે. ઔદયિકભાવ આવરણ સંયુક્ત છે. એટલે કે કર્મના ઉદયના નિમિત્તે થયેલો એ ભાવ છે. એમાં તો આવરણ સંયુક્તપણું છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ તો આવરણ સંયુક્ત છે પરંતુ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy