________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૮૩ ખાતર રાગ નથી ઘટાડવો. માટે ધર્મીજીવે ચતુર્વિધ દાન વગેરે દ્વારા પોતાનો રાગ ઘટાડવો એવો ઉપદેશ છે. ૧રા
અનેક પ્રકારના આરંભના પાપથી ભરેલો જે ગૃહસ્થાશ્રમ, તેમાં પાપથી બચવા માટે દાન એ મુખ્ય કાર્ય છે, તેનો ઉપદેશ હવેની છ ગાથામાં આપે છે.
સન્મેદશિખરજી તીર્થની યાત્રા
સમ્યકત્વાદિ રત્નત્રયગુણના ધારક એવા ગુણીજનો પ્રત્યે ઘર્મીને પ્રમોદ હોય છે; એ રત્નત્રયને તથા તેના આરાધક ગુણીજનોને દેખીને તેને અંતરમાં પ્રેમ-હર્ષ-ઉત્સાહ ને બહુમાન જાગે છે, તેને વાત્સલ્ય ઉલસે છે. ગુણીજનો પ્રત્યે જેને પ્રમોદ ન આવે, તો સમજવું કે તે જીવને ગુણના મહિમાની ખબર નથી, તેને પોતામાં ગુણ પ્રગટયા નથી. પોતામાં જેને ગુણ પ્રગટયા હોય તેને તેવા ગુણ બીજામાં દેખતાં પ્રમોદ આવ્યા વિના રહે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com