________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪).
(શ્રાવકધર્મપ્રકાશક હોય, ત્યાં તો ઇન્દ્ર-ઇન્દ્રાણી અહીં આવીને તેમના માતા-પિતાનું બહુમાન કરે કે ધન્ય રત્નકૂખધારિણી માતા! છ મહિના પછી આપની કૂખે ત્રણ લોકના નાથ તીર્થકર આવવાના છે-આમ બહુમાન કરે ને જ્યાં તે જન્મવાના હોય ત્યાં રોજરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા માંડે. છ મહિના પહેલાં નરકમાં પણ તે જીવને ઉપદ્રવો શાંત થઈ જાય. તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો પછી તેમાં ગુણસ્થાને કેવળજ્ઞાન થશે ત્યારે આવશે, પણ ત્યાર પહેલાં તેની સાથે આવા પુણ્ય હોય છે. (અહીં ઉત્કૃષ્ટ પુણ્યની વાત છે; બધાય આરાધક જીવને આવા પુણ્ય હોય-એવું નથી, પણ તીર્થકર થનાર જીવને આવા પુણ્ય હોય છે.) આ તો બધી અચિંત્ય વાતું છે. આત્માનો સ્વભાવ પણ અચિંત્ય, ને તેનો જે આરાધક થયો એનાં પુણ્ય પણ અચિંત્ય! આવા આત્માના લક્ષે શ્રાવક-ધર્માત્મા જ્ઞાનદાન કરે છે, તેમાં તેને રાગનો નિષેધ છે ને જ્ઞાનનો આદર છે, તેથી તે કેવળજ્ઞાન પામીને તીર્થકર થશે, ત્રણ લોકના જીવો તેનો ઉત્સવ કરશે ને એની દિવ્યધ્વનિથી ધર્મનો ધોખમાર્ગ ચાલશે.
આ રીતે જ્ઞાનદાનનું વર્ણન કર્યું.
જન્મ-મરણ વડે આખા લોકમાં ભમી ચૂકેલા આ જીવને બધુંય સુલભ છે પણ એક યથાર્થજ્ઞાન મહા દુર્લભ છે. તે જ્ઞાનની પ્રાપ્તિનો સુઅવસર આવ્યો છે, ત્યારે તેની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે જીવે પ્રમાદ કરવો ન જોઈએ. સૌથી દુર્લભ એવી અમૂલ્ય બોધિની પ્રાપ્તિનો આ અવસર હે જીવ! તું ચૂકીશ મા. -કેમકે
“દુર્લભ હૈ સંસારમેં એક યથારથ જ્ઞાન”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com