________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦)
(શ્રાવકધર્મપ્રકાશ
હિંસા-જૂઠું-ચોરી–અબ્રહ્મ-પરિગ્રહ એનાથી રહિતપણું, તથા મહા પરિષહોનું સવુંતેના ઘણા બોજાથી, ઘણા કાળ સુધી મળે શૂરા હોતે દુ! લઘુત દ તે હૈં તો રો તથાપિ એના વડે કર્મક્ષય તો થતો નથી. અજ્ઞાનીને એ બધી શુભક્રિયા તો કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે, શુદ્ધસ્વરૂપના અનુભવની જેમ એ કાંઈ સુખરૂપ નથી, અનુભવનો જે પરમ આનંદ છે તેની ગંધ પણ શુભરાગમાં નથી. એવા શુભરાગને કોઈ મોક્ષનું કારણ માને -પરંપરા પણ એ રાગ મોક્ષનું કારણ થવાનું માને તો કહે છે કે તે જાઠો છે, ભ્રમમાં છે. મોક્ષનું કારણ એ નથી; મોક્ષનું કારણ તો શુદ્ધસ્વરૂપનો અનુભવ છે.
પ્રશ્ન:- ચોથા કાળમાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તે મોક્ષનું કારણ ભલે હોય, પણ આ કઠણ પંચમકાળમાં તો રાગ મોક્ષનું કારણ હશે ને?
ઉત્ત૨:- પંચમકાળમાં થયેલા મુનિ પંચમકાળના જીવોને તો આ વાત સમજાવે છે. ચોથા કાળનો ધર્મ જુદો ને પંચમકાળનો ધર્મ જુદો-એમ કાંઈ નથી. ધર્મ એટલે કે મોક્ષનો માર્ગ ત્રણે કાળે એક જ પ્રકારનો છે. જ્યારે અને જ્યાં, જે કોઈ જીવ મોક્ષ પામશે તે રાગને છોડીને શુદ્ધસ્વરૂપના અનુભવથી જ મોક્ષ પામશે. ક્યારેય કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ જીવ રાગ વડે મોક્ષ પામે નહિ, એ નિયમ છે.
પહેલાં જેણે મોક્ષમાર્ગનું આવું સ્વરૂપ નક્કી કર્યું છે ને સમ્યગ્દર્શન વડે પોતામાં તેવો અંશ પ્રગટ કર્યો છે, તેને પછી રાગની મંદતાના કેવા પ્રકારો હોય તેના થનમાં ચાર પ્રકારના દાનની વાત ચાલે છે. મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે ભક્તિથી આહારદાન-ઔષધદાન ઉપરાંત શાસ્ત્રદાનનો ભાવ પણ શ્રાવકને આવે છે. એને વીતરાગી શાસ્ત્રનો ઘણો વિનય અને બહુમાન હોય; વીતરાગી જ્ઞાનની પ્રભાવના કેમ થાય, ઘણા જીવોમાં એનો પ્રચાર કેમ થાય, એ માટે તે પોતાની શક્તિ લગાવે. આમાં બીજા જીવો સમજે કે ન સમજે તેની મુખ્યતા નથી પણ ધર્મીને પોતાને સમ્યજ્ઞાનનો ઘણો પ્રેમ છે તેની મુખ્યતા છે; એટલે બીજા જીવો પણ સાચું તત્ત્વજ્ઞાન કેમ પામે તેવી ભાવના ધર્મીને હોય છે.
સર્વજ્ઞદેવે કહેલા શાસ્ત્રોનું રહસ્ય પોતે જાણીને બીજાને તે સમજાવવું ને ભક્તિથી તેનો પ્રચાર કરવો તે જ્ઞાનદાન છે. અંતરમાં તો પોતે પોતાને સમ્યજ્ઞાનનું દાન દીધું, ને બહારમાં બીજા જીવો પણ આવું જ્ઞાન પામે ને ભવદુઃખથી છૂટે-એવી ભાવના ધર્મીને થાય છે. શાસ્ત્રના જાણપણાના બહાને, બીજાને સમજાવવાના બહાને કે પ્રચાર કરવાના બહાને પોતાના માન-પ્રતિષ્ઠા કે મોટાઈની ભાવના હોય તો તો તે પાપ છે. ધર્મીને એવી ભાવના હોતી નથી. ધર્માત્મા તો કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com