SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯ ] ઔષધદાનનું વર્ણન (શ્રાવકધર્મપ્રકાશ જુઓ, અહીં દાનમાં સામે સત્પાત્ર તરીકે મુખ્યપણે મુનિ લીધા છે, એટલે કે ધર્મના લક્ષપૂર્વકના દાનની આમાં મુખ્યતા છે. દાન ક૨ના૨ની મીટ મોક્ષમાર્ગ ઉ૫૨ લાગી છે. શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનના કબાટ ખોલી રહેલા મુનિવરો દેહ પ્રત્યે નિર્મમ હોય છે. પરંતુ શ્રાવકો ભક્તિપૂર્વક ધ્યાન રાખીને નિર્દોષ આહાર સાથે નિર્દોષ ઔષધ પણ આપે છે. મુનિને તો ચૈતન્યના મધદરિયામાંથી આનંદના મોજાં ઊછળ્યા છે. એને ઠંડી ગરમીનું કે દેહની રક્ષાનું લક્ષ કયાં છે! શ્રાવક મુનિ વગેરેને ઔષધદાન આપે-તે કહે છે स्वेच्छाहारविहारजल्पनतया नीरुग्वपुर्जायते साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते । कुर्यादौषधपथ्यवारिभिरिदं चारित्र भारक्षमं यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्।। ९।। ઈચ્છાઅનુસાર આહાર-વિહાર ને સંભાષણ વડે શ૨ી૨ નીરોગ રહે છે, પરંતુ મુનિઓને તો ઇચ્છાનુસાર ભોજનાદિ હોતું નથી, તેથી તેમનું શરીર પ્રાયઃ અશક્ત જ રહે છે. પરંતુ ઉત્તમગુહસ્થો યોગ્ય ઔષધ તથા પથ્ય ખોરાક-પાણીવડે મુનિઓના શરીરને ચારિત્રપાલન માટે સમર્થ બનાવે છે. એ રીતે મુનિધર્મની પ્રવૃત્તિ ઉત્તમ શ્રાવકો વડે થાય છે. –માટે ધર્મી ગુહસ્થોએ આવા દાનધર્મનું પાલન કરવું. Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy