________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૩ સાધી રહ્યા છે એવા મુનિ પ્રત્યે અત્યંત ઉલ્લાસથી ને ભક્તિથી તે આહારદાન દે છે.
આનંદસ્વરૂપ આત્મામાં શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા તે મોક્ષનું કારણ છે ને વચ્ચે વ્રતાદિ શુભપરિણામ તે પુણ્યબંધનું કારણ છે. આત્માના આનંદસાગરને ઊછાળીને તેમાં જે મગ્ન છે એવા નગ્ન મુનિઓ રત્નત્રયને સાધી રહ્યા છે, તેના નિમિત્તરૂપ દેહ છે ને દેહને ટકવાનું કારણ આહાર છે, તેથી જેણે ભક્તિથી મુનિને આહાર આપ્યો તેણે મોક્ષમાર્ગ આપ્યો, એટલે કે તેના ભાવમાં મોક્ષમાર્ગ ટકાવવાનો આદર થયો. આ રીતે ભક્તિથી આહારદાન દેનારા શ્રાવકો તે આ દુઃષમકાળમાં મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું કારણ છે. આમ સમજીને મુનિ વગેરે સત્પાત્રને ધર્માત્મા શ્રાવકે રોજ ભક્તિથી દાન દેવું જોઈએ. અહો, મારા ઘરે કોઈ ધર્માત્મા-સન્ત પધારે, જ્ઞાનધ્યાનમાં અતીન્દ્રિયઆનંદના ભોજન જમનારા કોઈ સંત મારા ઘરે પધારે, તો ભક્તિથી તેમને ભોજન કરાવીને પછી હું જમે. –આવો ભાવ ગૃહસ્થ-શ્રાવકને રોજ રોજ આવે છે. ઋષભદેવના જીવે પૂર્વે આઠમા ભવમાં મુનિવરોને પરમ ભક્તિથી આહારદાન દીધું હતું, ને તિર્યંચો પણ તેનું અનુમોદન કરીને ઉત્તમ ફળને પામ્યા હતા, એ વાત પુરાણોમાં પ્રસિદ્ધ છે. શ્રેયાંસકુમારે આદિનાથ મુનિરાજને આહારદાન દીધું હતું, ચંદનાસતીએ મહાવીર મુનિરાજને આહારદાન દીધું હતું. -એ બધા પ્રસંગો પ્રસિદ્ધ છે.
આ રીતે ચાર પ્રકારના દાનમાંથી આહારદાનની વાત કરી, હવે બીજા ઔષધિદાનનો ઉપદેશ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com