________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૧ એ રત્નત્રય નિર્ગથ મુનિને હોય છે. મુનિનું શરીર આકરાદિન નિમિત્તે ટકે છે. આહારનું નિમિત્ત ગૃહસ્થ-શ્રાવકો છે.
માટે પરંપરાએ ગૃહસ્થ મોક્ષમાર્ગનું કારણ છે. જે શ્રાવકે મુનિને ભક્તિથી આહારદાન આપ્યું તેણે મોક્ષમાર્ગ ટકાવ્યો-એમ પરંપરા નિમિત્તથી કહ્યું છે. પણ આમાં આહાર લેનાર ને દેનાર બને સમ્યગ્દર્શનવાળા છે, બંનેને રાગનો નિષેધ ને સ્વભાવનો આદર વર્તે છે. આહારદાન દિનારને પણ સત્પાત્ર ને કુપાત્રનો વિવેક છે. ગમે તેવા મિથ્યાષ્ટિ-અન્યલિંગીને ગુરુ માનીને આદરે તેમાં તો મિથ્યાત્વની પુષ્ટિ થાય છે.
ધર્મી શ્રાવકને તો મોક્ષમાર્ગની પ્રવૃત્તિનો પ્રેમ છે. સુખ તો મોક્ષદશામાં છે એમ તેણે જાણ્યું છે એટલે તેને બીજે ક્યાંય સુખબુદ્ધિ નથી. રત્નત્રયધારી દિગંબરમુનિ આવા મોક્ષસુખને સાધી રહ્યા છે, તેથી મોક્ષાભિલાષી જીવને આવા મોક્ષસાધક મુનિ પ્રત્યે પરમ ઉલ્લાસ, ભક્તિ ને અનુમોદના આવે છે, ત્યાં આહારદાન વગેરેના પ્રસંગ સહેજે બની જાય છે.
જુઓ, અહીં તો શ્રાવક પણ એવા છે કે જેને મોક્ષમાં જ સુખ ભાસ્યું છે, સંસારમાં એટલે પુણ્યમાં-રાગમાં-સંયોગમાં કયાંય સુખ ભાસ્યું નથી. જેને પુણ્યમાં મીઠાસ લાગે, રાગમાં સુખ લાગે, તેને મોક્ષના અતીન્દ્રિય સુખની પ્રતીત નથી, ને મોક્ષમાર્ગી મુનિવર પ્રત્યે તેને સાચી ભક્તિ ઉલ્લસતી નથી. મોક્ષસુખ તો રાગ વગરનું છે; એને ઓળખ્યા વગર, રાગને સુખનું કારણ માને તેણે મોક્ષને કે મોક્ષમાર્ગી સન્તોને ઓળખ્યા નથી. ને ઓળખાણ વગરની ભક્તિને સાચી ભક્તિ કહેવાય નહીં.
મુનિને આહારદાન દેનાર શ્રાવકનું લક્ષ મોક્ષમાર્ગ ઉપર છે કે અહા ! આ ધર્માત્મા મુનિરાજ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. એ મોક્ષમાર્ગના બહુમાનથી ને તેની પુષ્ટિની ભાવનાથી આહારદાન આપે છે તેથી તેને મોક્ષમાર્ગ ટકાવવાની ભાવના છે. ને પોતામાં પણ તેવો મોક્ષમાર્ગ પ્રગટ કરવાની ભાવના છે; તેથી કહ્યું કે આહારદાન દેનાર શ્રાવકદ્વારા મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. જેમ ઘણીવાર સંઘ જમાડનારને એવી ભાવના હોય છે કે આમાં કોઈ જીવ બાકી રહી જવો ન જોઈએ, કેમકે આમાં કદાચ કોઈ જીવ તીર્થકર થનાર હોય તો! -આ રીતે જમાડવામાં તેને અવ્યક્તપણે તીર્થકરાદિના બહુમાનનો ભાવ છે. તેમ અહીં મુનિને આહાર દેનાર શ્રાવકની મીટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com