________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર)
(શ્રાવકધર્મપ્રકાશ
[૭]
ગૃહસ્થને સત્પાત્રદાનની મુખ્યતા
ભાઈ, લક્ષ્મી તો ક્ષણભંગુર છે; તું દાનવડે લક્ષ્મી વગેરેનો પ્રેમ ઘટાડીને ધર્મનો પ્રેમ વધાર. જેને ધર્મનો ઉલ્લાસ હોય તેને ધર્મપ્રસંગમાં તન-મન-ધન ખર્ચવાનો ઉલ્લાસ આવ્યા વગર રહે નહિ. ધર્મની શોભા કેમ વધે, ધર્માત્માઓ કેમ આગળ વધે ને સાધર્મીઓને કાંઈ પ્રતિકૂળતા હોય તો તે કેમ દૂર થાય-એવા પ્રસંગ વિચારીને શ્રાવક તેમાં ઉત્સાહથી વર્તે. આમ ધર્મના પ્રેમવાળા શ્રાવકને દાનના ભાવ હોય છે.
સમ્યગ્દર્શનપૂર્વક દેશવ્રતી શ્રાવકને અષ્ટમૂળગુણ તથા બાર અણુવ્રત હોય છેએ બતાવ્યું. હવે કહે છે કે –ગૃહસ્થને જોકે જિનપૂજા વગેરે અનેક કાર્યો હોય છે તોપણ તેમાં સત્પાત્રદાન સૌથી મુખ્ય છે
देवाराधनपूजनादिबहुषु व्यापारकार्येषु सत्पुण्योपार्जनहेतुषु प्रतिदिनं संजायमानेष्वपि। संसारार्णवतारणे प्रवहणं सत्पात्रमुद्दिश्य यत् तद्देशव्रतधारिणो धनवतो दानं प्रकृष्टो गुणः।।७।।
શ્રાવકને સત્પુણ્યોપાર્જનના કારણરૂપ જિનદેવનું આરાધન-પૂજન આદિ અનેક કાર્યો હંમેશાં હોય છે, તેમાં પણ ધનવાન શ્રાવકને તો, સંસારસમુદ્રને પાર કરવા માટે નૌકાસમાન એવું સત્પાત્રદાન તે ઉત્તમગુણ છે; એટલે કે શ્રાવકના બધા કાર્યોમાં દાન તે મુખ્ય કાર્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com