________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧
શ્રાવકધર્મપ્રકાશ) યાદ કરે છે, તેમ ધર્મના પ્રેમવાળો જીવ ભોજનાદિ સર્વપ્રસંગે પ્રેમપૂર્વક ધર્માત્માને યાદ કરે છે કે મારા આંગણે કોઈ ધર્માત્મા કે કોઈ મુનિરાજ પધારે તો તેમને ભક્તિથી જમાડીને પછી હું જમું. ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન સમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, ને મુનિરાજ
-
-- --- રોહિલ પધારતાં પરમ ભક્તિપૂર્વક આહારદાન કરતા. અહા ! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું, એથી પણ વિશેષ આનંદ મોક્ષમાર્ગસાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને ધર્માત્માને થાય છે. પોતાને રાગરહિત ચૈતન્યસ્વભાવની દષ્ટિ છે ને સર્વસંગત્યાગની બુદ્ધિ છે ત્યાં ગૃહસ્થને આવા શુભભાવ આવે છે. તે શુભરાગની મર્યાદા જેટલી છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણ્ય કહ્યું છે ને તે વખતે શ્રાવકને જેટલી શુદ્ધતા સ્વભાવના આશ્રયે વર્તે છે તેટલો ધર્મ છે, તે પરમાર્થવ્રત છે, ને તે મોક્ષનું સાધન છે-એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com