________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮)
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવકનાં બાર વ્રત
પોતાના આંગણે મુનિરાજને દેખતાં ધર્માત્માને ઘણો આનંદ થાય છે. શ્રાવકને આઠ પ્રકારના કષાયના અભાવથી સમ્યકત્વપૂર્વક જેટલી શુદ્ધતા પ્રગટી છે તેટલો મોક્ષમાર્ગ છે. આવો મોક્ષમાર્ગ હોય ત્યાં ત્રસહિંસાના પરિણામ હોતાં નથી. ભાઈ! આત્માના ખજાના ખોલવા માટે આવો અવસર મળ્યો તેમાં વિકથામાં વખત ગુમાવવાનું કેમ પાલવે? સમ્યકત્વસહિત અંશે વીતરાગભાવપૂર્વક શ્રાવકપણું શોભે છે.
પાંચમી ગાથામાં પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત એમ જે બાર વ્રત કહ્યાં તે ક્યા ક્યા છે? તે બતાવીને તેનું પાલન કરવાનું કહે છે
हन्ति स्थावरदेहिनः स्वविषये सर्वान्त्रसान् रक्षति ब्रूते सत्यमचौर्यवृत्तिमबलां शुद्धां निजां सेवते। दिग्देशव्रत दण्डवर्जनमतः सामायिकं प्रौषधं दानं भोगयुगप्रमाणमुररी कुर्याद् गृहीति व्रती।।६।।
દેશવ્રતી શ્રાવકને જોકે પ્રયોજનવશ (–આહાર વગેરેમાં) સ્થાવર જીવોની | હિંસા હોય છે પરંતુ સમસ્ત ત્રસ જીવોની તે રક્ષા કરે છે, સત્ય બોલે છે, અચૌર્યવ્રત પાળે છે, શુદ્ધ સ્વસ્ત્રીના સેવનમાં સંતોષ એટલે કે પરસ્ત્રીસેવનનો ત્યાગ તેને હોય છે; તથા પાંચમું વ્રત પરિગ્રહની મર્યાદા તે પણ શ્રાવકને હોય છે. હુજી મુનિદશા નથી એટલે સર્વ પરિગ્રહનો ભાવ છૂટ્યો નથી પણ તેની મર્યાદા આવી ગઈ છે. પરિગ્રહમાં ક્યાંય સુખ નથી એવું ભાન છે ને “કંઈ પણ પરદ્રવ્ય મારું નથી, હું તો જ્ઞાનમાત્ર છું”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com