SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮) (શ્રાવકધર્મપ્રકાશ ભવસમુદ્રના વચ્ચે મગરના મુખમાં પડેલો છે. જેમ સંસારના રાગી પ્રાણીને સ્ત્રીનો વિરહુ કેવો ખટકે છે? ને તેના સમાચાર મળતાં કેવો રાજી થાય છે? તેમ ધર્મના પ્રેમી જીવને સર્વજ્ઞ પરમાત્માનો વિરહ ખટકે છે, ને તેની પ્રતિમાના દર્શન કરતાં કે સંતો દ્વારા તેનો સજેશ સાંભળતા (-શાસ્ત્રનું શ્રવણ કરતાં) તેને પરમાત્મા પ્રત્યે ભક્તિ ને ઉલ્લાસ આવે છે: “અહો મારા નાથ ! તનથી-મનથી-ધનથી સર્વસ્વથી તારા માટે શું શું કરું!' આ પાનંદસ્વામી જ શ્રાવકના છ કર્તવ્ય બતાવતાં ઉપાસકસંસ્કાર” માં કહે છે કે જે મનુષ્ય જિનેન્દ્રભગવાનને ભક્તિથી નથી દેખતો તથા તેમની પૂજા-સ્તુતિ નથી કરતો તેનું જીવન નિષ્ફળ છે ને તેના ગૃહસ્થાશ્રમને ધિક્કાર છે. મુનિ આથી વિશેષ શું કહે? માટે ભવ્યજીવોએ પ્રાતઃ ઊઠીને સૌ પ્રથમ દેવ-ગુરુનાં દર્શન તથા ભક્તિથી વંદન અને શાસ્ત્રશ્રવણ કર્તવ્ય છે, બીજાં કાર્યો પછી કરવાં. ગાથા-૧૫, ૧૬, ૧૭) પ્રભો ! આપને ઓળખ્યા વગર મારો અનંતકાળ નિષ્ફળ ગયો, પણ હવે મેં આપને ઓળખ્યા છે. આપના પ્રસાદથી આપના જેવો મારો આત્મા મેં ઓળખ્યો છે; આપની કૃપાથી મને મોક્ષમાર્ગ મળ્યો ને હવે મારા જન્મ-મરણનો છેડો આવી ગયો. -આમ ધર્મીજીવને દેવ-ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રમોદ આવે છે. શ્રાવકને સમ્યગ્દર્શનની સાથે આવા ભાવો હોય છે એમ અહીં બતાવવું છે. એમાં જેટલો રાગ છે તેટલું પુણ્ય છે, રાગવગરની જેટલી શુદ્ધિ છે તેટલો ધર્મ છે. શ્રાવક જિનપૂજાની જેમ હંમેશા ગુરુની ઉપાસના કરે તથા હંમેશાં શ્રતની સ્વાધ્યાય કરે. સમસ્ત તત્ત્વોનું નિર્દોષસ્વરૂપ જેનાથી દેખાય એવું જ્ઞાનનેત્ર ગુરુઓના પ્રસાદથી જ પ્રાપ્ત થાય છે. જે જીવ નિગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની ઓળખાણ અને ઉપાસના કરતો નથી, તેને તો સૂરજ ઊગવા છતાં અંધારું છે. એ જ રીતે વીતરાગી ગુરુઓએ પ્રકારેલા સતુશાસ્ત્રોનો જે અભ્યાસ નથી કરતો, તેને નેત્ર હોવા છતાં વિદ્વાનો અંધ કહે છે. વિકથા વાંચ્યા કરે ને શાસ્ત્રસ્વાધ્યાય ન કરે-એના નેત્ર શા કામના? શ્રીગુરુ પાસે રહીને જે શાસ્ત્ર સાંભળતો નથી ને હૃદયમાં ધારણ કરતો નથી તે મનુષ્યને કાન તથા મન નથી-એમ કહ્યું છે. (ઉપાસકસંસ્કાર-ગા. ૧૮ થી ૨૧) આ રીતે દેવપૂજા, ગુરુસેવા ને શાસ્ત્રસ્વાધ્યાય એ શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. જે ઘરમાં દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપાસના થતી નથી તે તો ઘર નથી પણ જેલખાનું છે. જેમ ભક્ત-પુત્રને પોતાની માતા પ્રત્યે કેવો વાત્સલ્યભાવ ને ભક્તિ આવે છે! અહો, મારી માતા ! તારા ઉપકાર અપાર છે. તારે માટે શું-શું કરું!તેમ ધર્માત્મા શ્રાવકને તથા જિજ્ઞાસુ જીવને ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે ને જિનવાણી માતા પ્રત્યે Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy