________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦)
(શ્રાવકધર્મપ્રકાશ ચૈતન્યસ્વરૂપમાં કંઈક એકાગ્ર થતાં અનંતાનુબંધી ઉપરાંત અપ્રત્યાખ્યાનસંબંધી કષાયોનો પણ અભાવ થઈને પંચમ ગુણસ્થાનને યોગ્ય જે શુદ્ધિ થઈ તે ખરો ધર્મ છે. ચોથા ગુણસ્થાનવર્તી સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને આત્માનો આનંદ વિશેષ છે, -પછી ભલે તે મનુષ્ય હોય કે તિર્યચ. ઉત્તમપુરુષોએ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મુનિના મહાવ્રતનું કે શ્રાવકના દેશવ્રતનું પાલન કરવું. રાગમાં કયાંય એકત્વબુદ્ધિ થાય નહિ ને શુદ્ધસ્વભાવની દષ્ટિ છૂટે નહિ –એ રીતે સમ્યગ્દર્શનના નિરંતર પાલનપૂર્વક ધર્મનો ઉપદેશ છે.
અરે જીવ! આ તીવ્ર સંકલેશથી ભરેલા સંસારમાં ભ્રમણ કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે આત્મામાં મોક્ષનું ઝાડ વાવ્યું. માટે સર્વ ઉધમથી સમ્યગ્દર્શનનું સેવન કર.
સમ્યગ્દર્શન પામ્યા પછી શું કરવું તે હવે ચોથા શ્લોકમાં કહે છે.
भूयत्थमा
R.
सम्यग्दर
Please inform us of any errors on rajesh@AtmaDharma.com