________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯
શ્રાવકધર્મપ્રકાશ)
એ સમ્યગ્દર્શનનું સાધન શું? તો કહે છે કે ભાઈ ! તારા સમ્યગ્દર્શનનું સાધન તો તારામાં હોય, કે તારાથી બહાર હોય? આત્મા પોતે સત્વભાવી–સર્વજ્ઞસ્વભાવી પરમાત્મા છે, તેમાં અંતર્મુખ જોવાથી જ પરમાત્મા થવાય છે, બહારના સાધનથી થવાતું નથી. અંતરમાં જનારો તે અંતરાત્મા ને બહારથી માનનારો તે બહિરાત્મા.
જેમ ગોટલામાંથી આંબા, ને વાત , બાવળમાંથી બાવળ પાકે છે, તેમ લક છે. તે મોક્ષ , આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શનમાંથી તો
મોક્ષના આંબા પાકે છે, ને મિથ્યાત્વરૂપ તિવારી બાવળમાંથી બાવળ જેવી સંસારની ' ચારગતિ ફાટે છે. શુદ્ધ સ્વભાવમાંથી મિત્રો,
સંસરીને (બહાર નીકળીને) વિકારભાવમાં પરિણમ્યો તે જ સંસાર છે. શુદ્ધસ્વભાવના આશ્રયે વિકારનો અભાવ ને પૂર્ણાનંદની પ્રાપ્તિ તે મોક્ષ છે. આ રીતે આત્માનો સંસાર ને મોક્ષ બધું પોતામાં જ સમાય છે, તેનું કારણ પણ પોતામાં જ છે. બહારની પર ચીજ કાંઈ આત્માના સંસારનું કે મોક્ષનું કારણ નથી.
જે આત્માનું અસ્તિત્વ માને, સંસાર-મોક્ષ માને, ચાર ગતિ માને, ચારે ગતિમાં દુઃખ લાગે ને તેનાથી છૂટવા માંગે-એવા આસ્તિક જિજ્ઞાસુ જીવને માટે આ વાત છે. જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્માઓ અનાદિઅનંત છે. આત્મા અત્યારસુધી કયાં રહ્યો? કે આત્માના ભાન વગર સંસારની જાદી જુદી ગતિઓમાં જુદા જુદા શરીરો ધારણ કરીને દુ:ખી થયો. હવે તેનાથી કેમ છૂટાય ને મોક્ષ કેમ પમાય તેની આ વાત છે. અરે જીવ! અજ્ઞાનથી આ સંસારમાં તે જે દુ:ખો ભોગવ્યાં તેની શી વાત? તેમાં સત્સમાગમ સત્ સમજવાનો આ ઉત્તમ અવસર આવ્યો, આવા વખતે જો આત્માની દરકાર કરીને સમ્યગ્દર્શન નહિ પામ તો, દરિયામાં પડેલા રત્નની જેમ આ ભવસમુદ્રમાં તારો કયાંય પત્તો નહિ ખાય, ફરી ફરીને આવો ઉત્તમ અવસર હાથ નહિ આવે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ મા દુર્લભ જાણીને તેનો પરમ ઉદ્યમ કર.
અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત શ્રાવકના વ્રતનું પ્રકાશન કરવું છે; પણ તે પહેલાં એ બતાવ્યું કે વ્રતની ભૂમિકા સમ્યકત્વ છે; સમ્યગ્દષ્ટિને રાગ કરવાની બુદ્ધિ નથી, રાગ વડે મોક્ષમાર્ગ સધાશે એમ તે માનતા નથી; તેને ભૂમિકાઅનુસાર રાગના ત્યાગરૂપ વ્રત હોય છે. વ્રતમાં જે શુભરાગ રહ્યો તેને કાંઈ તે આદરણીય માનતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com