SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૪). (શ્રાવકધર્મપ્રકાશ જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ધર્મ નથી. જેને ભૂતાર્થસ્વભાવનું ભાન નથી ને રાગમાં એકત્વબુદ્ધિ છે તેને ધર્મ કેવો? તે શુભરાગથી વ્રતાદિ કરે તો પણ તે બાલવ્રત છે. અને તે બાલવ્રતના રાગને ધર્મ માને તો “બકરું કાઢતાં ઊંટીયું પઠું' એના જેવું થાય છે-એટલે જરાક અશુભ છોડીને શુભને ધર્મ માનવા ગયો ત્યાં મિથ્યાત્વના મોટા અશુભરૂપી ઊંટીયો પેસી ગયો. માટે શ્રાવકે સૌથી પહેલાં સર્વજ્ઞના વચન અનુસાર યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને, પરમ ઉધમપૂર્વક સમ્યકત્વ પ્રગટ કરવું જોઈએ. જીવની શોભા સમ્યકત્વથી જ છે. સંયોગ ભલે ગમે તેવા પ્રતિકૂળ હો પણ અંદરમાં ચિદાનંદસ્વભાવની પ્રતીત કરીને શ્રદ્ધામાં આખા આત્માની અનુકૂળતા પ્રગટ કરી છે-તો તે ધન્ય છે. આત્માના સ્વભાવથી વિરુદ્ધ માન્યતારૂપ જે ઊંધી શ્રદ્ધા તે મોટો અવગુણ છે; બહારની પ્રતિકૂળતા હોવી તે કાંઈ અવગુણ નથી. અંતરમાં ચિદાનંદસ્વભાવની પ્રતીત કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે મોટો સગુણ છે; બહારમાં અનુકૂળતાનો ઠાઠ હોવો તે કાંઈ ગુણ નથી. આત્માની ધર્મસંપદા કયાંથી પ્રગટે છે તેની જેને ખબર નથી તે જ મહાન દરિદ્રી છે ને ભવભવમાં રખડીને દુઃખને ભોગવે છે. જે ધર્મીને આત્માની સ્વભાવસંપદાનું ભાન થયું છે તેની પાસે તો એવા મોટા ચૈતન્યનિધાન ભર્યા છે કે તેમાંથી કેવળજ્ઞાન ને સિદ્ધપદ કાઢશે; વર્તમાનમાં પુણ્યનો ઠાઠ ભલે ન હોય તોપણ તે જીવ મહાન પ્રશંસનીક છે. અહો, દ્રરિદ્ર-સમકિતી પણ કેવળીનો કેડાયત છે, સર્વજ્ઞના માર્ગે ચાલનારો છે, તેણે આત્મામાં મોક્ષનાં બીજ વાવી દીધાં છે, અલ્પકાળે તેમાંથી મોક્ષનું ઝાડ ફાલશે. પુષ્યમાંથી તો સંયોગ ફાલશે ને સમ્યગ્દર્શનમાંથી મોક્ષનાં મીઠાં ફળ પાકશે. જુઓ, આ સમ્યગ્દર્શનનો મહિમા ! સમકિતી એટલે પરમાત્માનો પુત્ર; જૈનકુળમાં જન્મે એટલે માની લ્થ કે અમે શ્રાવક છીએ, પણ ભાઈ, શ્રાવક એટલે તો પરમાત્માનો પુત્ર; “પરમાત્માના પુત્ર” કેમ થવાય તેની આ રીત કહેવાય છે. ભેદવિજ્ઞાન જગ્યો જિન્હેંકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે શિવમારગમેં, જગમાંહીં જિનેશ્વરકે લઘુનન્દન. જ્યાં ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં અંતરમાં અપૂર્વ શાંતિને અનુભવતો તે જીવ મોક્ષના માર્ગમાં કેલિ કરે છે, ને જગતમાં તે જિનેશ્વરદેવનો Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy