________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૭ પ્રશંસનીય છે, ને વિપરીતમાર્ગમાં ઘણા હોય તોપણ તે પ્રશંસનીય નથી. આમ સમજીને હે જીવ! તું સમ્યગ્દર્શનની આરાધના કર, એમ તાત્પર્ય છે.
શરીર કયાં આત્માનું છે? જે પોતાનું નથી તે ગમે તેવું હોય તેની સાથે આત્માને શું સંબંધ છે? -માટે ધર્મીની મોટપ સંયોગ વડે નથી, ધર્મીની મોટપ પોતાના ચિદાનંદસ્વભાવની અનુભૂતિથી જ છે. હજારો ઘેટાના ટોળા કરતાં વનમાં એકલો સિંહ પણ શોભે છે, તેમ જગતના લાખો જીવોમાં સમ્યગ્દષ્ટિ
:
તો
એકલો પણ (ગૃહસ્થપણામાં હોય તોપણ) શોભે છે. સમ્યગ્દર્શન વગરનો મુનિ શોભતો નથી ને સમ્યગ્દષ્ટિ મુનિપરા વગર પણ શોભે છે, તે મોક્ષનો સાધક છે, તે જિનેશ્વરદેવનો પુત્ર છે; લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ તે જિનશાસનમાં શોભે છે. સમ્યગ્દર્શન વગરનો જીવ કયાંય શોભતો નથી. મિથ્યાષ્ટિવંત કરોડો ને સમ્યગ્દષ્ટિવંત એકાદ, છતાં સમ્યગ્દષ્ટિ જ શોભે છે. કીડીના ટોળા ઝાઝા ભેગા થાય તેથી કાંઈ તેની કિંમત વધી જાય નહિ, તેમ મિથ્યાષ્ટિ જીવો ઝાઝા ભેગા થાય તેથી કાંઈ તે પ્રશંસા પામે નહિ. સમ્યગ્દર્શન વગર પુણ્યના ઠાઠ ભેગા થાય તોપણ આત્મા શોભે નહિ ને નરકમાં જ્યાં હજારો-લાખો કે અસંખ્યાતા વર્ષો સુધી અનાજનો કણ કે પાણીનું ટીપું મળતું નથી ત્યાં પણ આનંદકંદ આત્માનું ભાન કરીને સમ્યગ્દર્શનથી આત્મા શોભી ઊઠે છે.* પ્રતિકૂળતા તે કાંઈ દોષ નથી ને અનુકૂળતા તે કાંઈ ગુણ નથી. ગુણ-દોષનો સંબંધ બહારના સંયોગ સાથે નથી; આત્માના સ્વભાવની ને સર્વજ્ઞ દેવની, શ્રદ્ધા સાચી છે કે ખોટી તેના ઉપર ગુણ-દોષનો આધાર છે. ધર્મી જીવ પોતાના
જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતાં આપણે નીચેનો શ્લોક બોલીએ છીએ, તેમાં પણ આ જ ભાવના ગુંથાયેલી છે
जिनधर्मविनिर्मुक्तो मा भगत् चक्रवर्त्यपि। स्यात् चेटोपि दरिद्रोपि जिनधर्मानुवासितः।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com