________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
(શ્રાવકધર્મપ્રકાશ પ્રતાપે તે પોતાના ચિદાનંદસ્વરૂપમાં સંતુષ્ટપણે મોક્ષને સાધી રહ્યો છે તેથી તે જગતમાં પ્રશંસનીય છે, ગણધરાદિ સંતો તેના સમ્યકત્વની પ્રશંસા કરે છે; એનો આનંદકંદ આત્મા કાંઈ નિર્ધન નથી, એનો આત્મા રોગી નથી, એનો આત્મા કાળોકૂબડો કે ચંડાળ નથી, એનો આત્મા સ્ત્રી નથી, એ તો ચિદાનંદસ્વરૂપપણે જ પોતાને અનુભવે છે, અંદરમાં અનંત ગુણની નિર્મળતાના નિધાન એની પાસે છે. સમ્યગ્દષ્ટિની અંતરની દશા વર્ણવતાં શ્રી દોલતરામજી કવિ કહે છે કે
ચિન્યૂરત દગધારીકી મોહે રીતિ લગત હૈ અટાપટી;
બાહર નારકીકૃત દુઃખ ભોગે અંતર સુખરસ ગટગટી. નારકીને બહારમાં કયાં કાંઈ સગવડ છે? છતાં તે સમ્યગ્દર્શન પામે છે; નાનું દેડકું પણ સમ્યગ્દર્શન પામે છે; તે પ્રશંસનીય છે. અઢીદ્વીપમાં સમવસરણ વગેરેમાં
GST ઘણા તિર્યંચો સમ્યગ્દષ્ટિ છે, તે ઉપરાંત
અઢીદ્વીપ બહાર તો અસંખ્યાતા તિર્યંચો આત્માના જ્ઞાન સહિત ચોથે-પાંચમે ગુણસ્થાને બિરાજી રહ્યા છે, સિંહ-વાઘ ને સર્પ જેવા પ્રાણીઓ પણ સમ્યગ્દર્શન પામે છે, તે જીવો પ્રશંસનીય છે. અંદરથી ચૈતન્યનું પાતાળ ફોડીને સમ્યગ્દર્શન પ્રગટયું છે-એના મહિમાની શી વાત? બહારના સંયોગથી જાએ એને એ મહિમા
ન દેખાય, પણ અંદર આત્માની દશા શું
છે છે તેને ઓળખે તો તેના મહિમાની ખબર પડે. સમ્યગ્દષ્ટિએ આત્માના આનંદને દેખ્યો છે, એનો સ્વાદ ચાખ્યો છે, ભેદજ્ઞાન થયું છે, તે ખરેખર આદરણીય છે, પૂજ્ય છે. મોટા રાજા-મહારાજાને પ્રશંસનીય ન કહ્યા, સ્વર્ગના દેવને પ્રશંસનીય ન કહ્યા, પણ સમ્યગ્દષ્ટિને પ્રશંસનીય કહ્યા, પછી ભલે તે તિર્યંચપર્યાયમાં હો, નરકમાં હો, દેવમાં હો કે મનુષ્યમાં હો, તે સર્વત્ર પ્રશંસનીય છે. જે સમ્યગ્દર્શનધર્મને સાધી રહ્યા છે તે જ ધર્મમાં અનુમોદનીય છે. સમ્યગ્દર્શન વગર બાહ્યત્યાગ-વ્રત કે શાસ્ત્રનું જાણપણું વગેરે ઘણું હોય તોપણ આચાર્ય દેવ કહે છે કે એ કાંઈ અમને પ્રશંસનીય લાગતું નથી, કેમકે એ કાંઈ આત્માના હિતનું કારણ બનતું નથી. હિતનું મૂળકારણ તો સમ્યગ્દર્શન છે. કરોડોઅબજો જીવોમાં એકાદ સમ્યગ્દષ્ટિ હોય તોપણ તે ઉત્તમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com