________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧ બહારના સાધનથી ધર્મ કરવા માંગે છે તે તો આંધળો છે, દષ્ટિ વગરનો છે. જ્ઞાનસ્વભાવની ને સર્વજ્ઞની શ્રદ્ધા વગર “શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેનો અર્થ આમ થાય' – એમ જ્ઞાની સાથે વાદવિવાદ કરે તે તો, આકાશમાં ઊડતા પંખીને ગણવા માટે દેખતાની સાથે આંધળો હોડ કરે એના જેવું છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ વગર, સર્વશે કહેલા શાસ્ત્રના અર્થ ઉકેલતાં આવડે નહિ. માટે પહેલા જ શ્લોકમાં સર્વશની અને તેમની વાણીની ઓળખાણ કરવાનું કહ્યું. સર્વજ્ઞની શ્રદ્ધા તે મોક્ષના મંડપનો માણેકથંભ છે; તે સર્વજ્ઞના એટલે કે મોક્ષતત્ત્વનાં ગાણા ગાઈને તેની શ્રદ્ધારૂપ માંગલિક કર્યું.
હવે આવા સર્વજ્ઞની ઓળખાણવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વિરલતા બતાવીને તેનો મહિમા કરતાં બીજા શ્લોકમાં કહે છે કે સમ્યગ્દષ્ટિ એકલો હોય તો પણ આ લોકમાં શોભનીક ને પ્રશંસનીય છે.
છે. મોક્ષ..
दंसणमूलो धम्मो
Please inform us of any errors on rajesh@AtmaDharma.com