________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬)
(સ્વતંત્રતાની ઘોષણા તેમાં પણ ઇચ્છા અને જ્ઞાન એ બંને પરિણામ આત્માના આશ્રયે હોવા છતાં, તેમાં ઇચ્છા પરિણામના આશ્રયે જ્ઞાનપરિણામ નથી. જ્ઞાન તે આત્માના પરિણામ છે, ઇચ્છાના નહિ. તેમ જ ઇચ્છા તે આત્માના પરિણામ છે, પણ જ્ઞાનના નહિ. ઇચ્છાને જાણનારું જ્ઞાન તે ઇચ્છાનું કાર્ય નથી, તેમ જ તે જ્ઞાન ઇચ્છાને કરતું નથી. ઇચ્છા પરિણામ તે આત્માનું કાર્ય ખરું પણ જ્ઞાનનું નહિ; ભિન્ન ભિન્ન ગુણના પરિણામ ભિન્ન ભિન્ન છે, એક જ દ્રવ્યમાં હોવા છતાં એક ગુણના આશ્રયે બીજા ગુણના પરિણામ નથી.
કેટલી સ્વતંત્રતા!! ને આમાં પરના આશ્રયની તો વાત જ કયાં રહી?
આત્મામાં ચારિત્રગુણ, જ્ઞાનગુણ વગેરે અનંત ગુણ, તેમાં ચારિત્રના વિકૃત પરિણામ તે ઇચ્છા છે, તે ચારિત્રગુણના આશ્રયે છે, અને તે વખતે તે ઇચ્છાનું જ્ઞાન થયું તે જ્ઞાનગુણરૂપ પરિણામીના પરિણામ છે, તે કાંઈ ઇચ્છાના પરિણામના આશ્રયે નથી. આમ ઇચ્છા પરિણામ ને જ્ઞાનપરિણામ બંનેનું જાદુ પરિણમન છે, એકબીજાના આશ્રયે નથી.
સત્ જેમ છે તેમ તેનું જ્ઞાન કરે તો સત્ જ્ઞાન થાય, ને સતનું જ્ઞાન કરે તો તેનું બહુમાન ને યથાર્થનો આદર થાય, રુચિ થાય, શ્રદ્ધા થાય ને તેમાં સ્થિરતા થાય તેનું નામ ધર્મ છે. સથી વિપરીત જ્ઞાન કરે તો ધર્મ ન થાય. મૂળ ધર્મ સ્વમાં સ્થિરતા છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર સ્થિરતા કરશે શેમાં?
આત્મા, અને શરીરાદિ રજકણો ભિન્ન ભિન્ન તત્ત્વો છે; શરીરની અવસ્થા હાલ-ચાલે-બોલે તે તેના પરિણામી પુદ્ગલોના પરિણામ છે, તે પુદગલોના આશ્રયે તે પરિણામ થયા છે, ઇચ્છાના આશ્રયે નહિ; તેમ જ ઇચ્છાના આશ્રયે જ્ઞાન પણ નથી. પુદ્ગલના પરિણામ આત્માના આશ્રયે માનવા, કે આત્માના પરિણામ પુદ્ગલના આશ્રયે માનવા, તેમાં તો વિપરીત માન્યતારૂપ મૂઢતા છે.
જગતમાં પણ જે ચીજ જેમ હોય તેનાથી ઊલટી કોઈ કહે તો લોકો તેને મૂર્ખ કહે છે, તો આ સર્વશે કહેલો લોકોત્તર વસ્તુસ્વભાવ જેમ છે તેમ ન માનતાં વિરુદ્ધ માને તો તે લોકોત્તર મૂર્ખ અને અવિવેકી છે. વિવેકી અને વિચક્ષણ થયો-ક્યારે કહેવાય ? કે વસ્તુના જે પરિણામ થયા તેને કાર્ય ગણી, તેને પરિણામી–વસ્તુના આશ્રયે સમજે ને બીજાના આશ્રયે ન માને, ત્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન થાય, ને ત્યારે વિવેકી થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com