________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૫૫ નીકળી તે ભાષાવર્ગણાના રજકણોની અવસ્થા છે, તે અવસ્થા ઇચ્છાને આશ્રયે કે હોઠને આશ્રયે થઈ નથી, પણ પરિણામી એવા રજકણોના આશ્રયે તે ભાષા થઈ છે. અને તે વખતનું જ્ઞાન આત્મવસ્તુના આશ્રયે છે, ઇચ્છાના કે ભાષાના આશ્રયે નથી. આવું વસ્તુસ્વરૂપ છે.
ભાઈ, ત્રણકાળ ત્રણલોકમાં સર્વજ્ઞ ભગવાને જોયેલો આ વસ્તુસ્વભાવ છે તેને જાણ્યા વગર, અને સમજવાની દરકાર વગર આંધળાની જેમ ચાલ્યો જાય છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર કયાંય કલ્યાણ નથી. આ વસ્તુસ્વરૂપ વારંવાર લક્ષમાં લઈને પરિણામમાં ભેદજ્ઞાન કરવા માટેની આ વાત છે. એક વસ્તુના પરિણામ બીજી વસ્તુના આધારે તો નથી, ને તે વસ્તુમાં પણ તેના એક પરિણામના આશ્રયે બીજા પરિણામ નથી, પરિણામી–વસ્તુના આશ્રયે જ પરિણામ છે. - આ મોટો સિદ્ધાંત છે.
ક્ષણે ક્ષણે ઇચ્છા, ભાષા ને જ્ઞાન, ત્રણે એકસાથે થાય છતાં ઇચ્છા ને જ્ઞાન તે જીવના આશ્રયે છે ને ભાષા તે જડના આશ્રયે છે; ઇચ્છાને કારણે ભાષા થઈ કે ભાષાને કારણે જ્ઞાન થયું- એમ નથી; તેમ જ ઇચ્છાના આશ્રયે પણ જ્ઞાન નથી. ઇચ્છા અને જ્ઞાન- એ બને છે તો આત્માના પરિણામ, છતાં એકના આશ્રયે બીજા પરિણામ નથી. જ્ઞાનપરિણામ અને ઇચ્છા પરિણામ બંને ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે ઇચ્છાનું કાર્ય નથી ને ઇચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. જ્યાં જ્ઞાનનું કાર્ય ઇચ્છા પણ નથી ત્યાં જડ ભાષા વગેરે તો તેનું કાર્ય ક્યાંથી હોય ? એ તો જડનું કાર્ય છે.
જગતમાં જે કોઈ કાર્ય હોય તે સની અવસ્થા હોય, કોઈ વસ્તુના પરિણામ હોય, પણ વસ્તુ વગર અદ્ધરથી પરિણામ ન થાય. પરિણામીનું પરિણામ હોય, ટકતી વસ્તુના આશ્રયે પરિણામ થાય, પરના આશ્રયે ન થાય.
પરમાણમાં હોઠનું હલન ને ભાષાનું પરિણમન-એ બને પણ જુદી ચીજ છે. આત્મામાં ઇચ્છા અને જ્ઞાન-એ બંને પરિણામ પણ ભિન્ન ભિન્ન છે.
હોઠના હુલનના આશ્રયે ભાષાની પર્યાય નથી. હોઠનું હલન તે હોઠના પુદ્ગલોના આશ્રયે છે, ભાષાનું પરિણમન તે ભાષાના પુદ્ગલોના આશ્રયે છે.
હોઠ અને ભાષા; ઇચ્છા અને જ્ઞાન;
એ ચારેનો કાળ એક, છતાં ચારે પરિણામ જુદા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com