SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪) (સ્વતંત્રતાની ઘોષણા પરિણામ' પરિણામીના જ છે ને બીજાના નથી, - એમાં જગતના બધા પદાર્થોનો નિયમ આવી જાય છે. પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે, બીજાના આશ્રયે હોતા નથી. જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે છે, વાણી વગેરે બીજાના આશ્રયે નથી. એટલે આમાં પર સામે જોવાનું ન રહ્યું પણ પોતાની વસ્તુ સામે જોઈને સ્વસમ્મુખ પરિણમવાનું રહ્યું. તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે. વાણી તે અનંતા જડ-પરમાણુંઓની અવસ્થા છે, તે તેના પરમાણુંઓના આશ્રયે છે. બોલવાની જે ઇચ્છા થઈ તેના આશ્રયે ભાષાના પરિણામ ત્રણકાળમાં નથી. હવે ઇચ્છા થઈ ને ભાષા નીકળી તે વખતે તેનું જે જ્ઞાન થયું, તે જ્ઞાન આત્માના આશ્રયે થયું છે, ભાષાના આશ્રયે કે ઇચ્છાના આશ્રયે તે જ્ઞાન થયું નથી. પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ થાય છે, બીજાના આશ્રયે થતા નથી, - આમ અસ્તિ-નાસ્તિથી અનેકાન્ત કરીને વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે. સત્યના સિદ્ધાંતની એટલે કે વસ્તુના સ્વરૂપની આ વાત છે, તેને ઓળખ્યા વગર મૂઢપણે અજ્ઞાનમાં જીવન ગાળી નાંખે છે. પણ ભાઈ ! આત્મા શું, જડ શું, તેની ભિન્નતા સમજીને વસ્તુસ્વરૂપના વાસ્તવિક સને જાણ્યા વગર જ્ઞાનમાં સપણું થાય નહિ, એટલે સમ્યજ્ઞાન થાય નહિ; વસ્તુસ્વરૂપના સત્યજ્ઞાન વગર રુચિને શ્રદ્ધા પણ સાચી થાય નહિ, સાચી શ્રદ્ધા વગર વસ્તુમાં સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટે નહિ, શાંતિ થાય નહિ, સમાધાન કે સુખ થાય નહિ. માટે વસ્તુસ્વરૂપ શું છે તે પહેલાં સમજ. વસ્તુસ્વરૂપ સમજતાં, મારા પરિણામ પરથી ને પરના પરિણામ મારાથી- એવી પરાશ્રિત બુદ્ધિ રહે નહિ એટલે સ્વાશ્રિત-સ્વસમ્મુખ પરિણમન પ્રગટે, તે ધર્મ છે. આત્માને જે જ્ઞાન થાય છે તે જાણવાના પરિણામ આત્માના આશ્રયે છે. તે પરિણામ વાણીના આશ્રયે થયા નથી, કાનના આશ્રયે થયા નથી તેમ જ તે વખતની ઇચ્છાના આશ્રયે પણ થયા નથી. જો કે ઇચ્છા તે પણ આત્માના પરિણામ છે, પણ તે પરિણામના આશ્રયે જ્ઞાનપરિણામ નથી, જ્ઞાનપરિણામ આત્મવસ્તુના આશ્રયે છેમાટે વસ્તુ સામે જા. બોલવાની ઇચ્છા થાય, હોઠ ચાલે, ભાષા નીકળે ને તે વખતે તે પ્રકારનું જ્ઞાન થાય, - આ ચાર પ્રકાર એકસાથે છે છતાં કોઈ કોઈના આશ્રયે નથી, સૌ પોતપોતાના પરિણામીના જ આશ્રયે છે. ઇચ્છા તે આત્માના ચારિત્રગુણના પરિણામ છે, હોઠ ચાલે તે હોઠના રજકણોની અવસ્થા છે, તે અવસ્થા ઇચ્છાના આધારે થઈ નથી. ભાષા Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy