________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ દેશવ્રત-ઉદ્યોતન' એટલે ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકનાં ધર્મનો પ્રકાશ કેમ થાય તેનું આમાં વર્ણન છે. ગૃહસ્થદશામાં પણ ધર્મ થઈ શકે છે. સમ્યગ્દર્શન સહિત શુદ્ધિ કેમ વધે ને રાગ કેમ ટળે, ને શ્રાવક પણ ધર્મની આરાધના કરીને પરમાત્મદશાની સન્મુખ કેમ જાય તે બતાવીને આ અધિકારમાં શ્રાવકના ધર્મનો ઉધત કર્યો છે. સમન્તભદ્રસ્વામીએ પણ રત્નકાંડ-શ્રાવકાચારમાં શ્રાવકના ધર્મોનું વર્ણન કર્યું છે, ત્યાં ધર્મના ઈશ્વર એવા તીર્થકર ભગવંતો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહે છે- [ સદwજ્ઞાનવૃત્તાનિ ઘર્મ ધર્મેશ્વર વિતુ:] –એમ બતાવીને, સૌથી પહેલાં જ સમ્યગ્દર્શનધર્મનું વર્ણન કર્યું છે ને તેના કારણરૂપ સર્વજ્ઞની શ્રદ્ધા બતાવી છે. અહીં પણ પદ્મનંદીમુનિરાજ શ્રાવકના ધર્મોનું વર્ણન કરતાં સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણ કરાવે છે. જેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, જેને સમ્યગ્દર્શન નથી, તેને તો મુનિનો કે શ્રાવકનો એકેય ધર્મ હોતો નથી. ધર્મના જેટલા પ્રકાર છે તેનું મૂળ તો સમ્યગ્દર્શન છે. માટે જિજ્ઞાસુને સર્વજ્ઞની ઓળખાણપૂર્વક સમ્યગ્દર્શનનો ઉદ્યમ તો સૌથી પહેલાં હોવો જોઈએ. તે ભૂમિકામાં પણ રાગની મદતા વગેરેના પ્રકારો કેવા હોય છે, તે પણ આમાં બતાવશે. નિશ્ચય-વ્યવહારની સંધિ સહિત સરસ વાત કરશે. સૌથી પહેલાં સર્વજ્ઞની અને સર્વ કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com