________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૨૦]
ધર્મી-શ્રાવકો દ્વારા ધર્મનું પ્રવર્તન
ગુણવાન શ્રાવકો દ્વારા ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે તેથી તે શ્રાવક પ્રશંસનીય છે. શ્રાવક-શ્રાવિકા પોતાની લક્ષ્મી વગેરે ફિદા કરીને પણ ધર્મની પ્રભાવના કર્યા કરે છે. સંતોના જીગરમાં ધર્મની પ્રભાવનાનો ભાવ હોય છે; ધર્મની શોભા ખાત૨ ધર્માત્મા-શ્રાવકો પોતાનું જીગર રેડી દે છે, એવી ધર્મની દાઝ (લાગણી) એમના અંત૨માં હોય છે.
( ૧૧૫
*
જ્યાં ધર્મી શ્રાવક રહેતા હોય ત્યાં ધર્મની કેવી પ્રવૃત્તિ ચાલે તે બતાવે છે
यत्र श्रावकलोक एष वसति स्यात्तत्र चैत्यालयो
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैः वर्तते। सत्यघसंचयो विघट स्वर्गापवर्गाश्रयं
धर्मे
सौख्यं भावि नृणां ततो गुणवक्तां स्युः श्रावकाः संमताः।। २०।।
જ્યાં આવા ધર્માત્મા શ્રાવકજનો વસતા હોય ત્યાં ચૈત્યાલય-જિનમંદિર હોય છે અને જિનમંદિર હોય ત્યાં મુનિ વગેરે ધર્માત્માઓ આવે છે ને ત્યાં ધર્મની પ્રવૃત્તિ થાય છે. ધર્મવડે, પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે ને સ્વર્ગ–મોક્ષના સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મની પ્રવૃત્તિનું કારણ હોવાથી ગુણવાન પુરુષોવડે શ્રાવકો સંમત છે-આદરણીય છે-પ્રશંસનીય છે.
શ્રાવક જ્યાં રહેતા હોય ત્યાં દર્શન-પૂજન માટે જિનમંદિર કરાવે છે. અનેક મુનિઓ વગેરે વિહાર કરતા કરતા જ્યાં જિનમંદિર હોય ત્યાં આવે છે, ને તેમના ઉપદેશ વગેરેથી ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે, ને સ્વર્ગ–મોક્ષનું સાધન થાય છે. શ્રાવક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com