________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪)
(શ્રાવકધર્મપ્રકાશ અધ્યાત્મસ્વરૂપ વર્ણવ્યું છે. કુંદકુંદસ્વામીનું બીજાં નામ “પવનંતી' હતું પરંતુ તે પદ્મનંદી આ નહીં, આ પાનંદીમુનિ તો તેમના પછી લગભગ હજારેક વર્ષે થયા. તેઓ કહે છે કે દાન કરનારા ઉત્તમ શ્રાવકધર્માત્મા તે ચિંતામણિ જેવા છે.
સંઘમાં જરૂર પડે કે જિનમંદીર નવું-મોટું કરાવવું છે. તો કહેઃ “કેટલું ખર્ચ?' કે સવા લાખ રૂપિયા. તરત કહે કે આ લ્યો, ને ઉત્તમ મંદિર બંધાવો.
આમ ઉદારતાથી દાન દેનારા ધર્માત્માઓ હતા. એને માટે ઘરે ઘરે જઈને ખરડા ન કરવા પડે. પોતાની શક્તિ હોવા છતાં ધર્મના કાર્યો અટકે તે ધર્મી જીવ જોઈ શકે નહિ. માટે કહે છે કે ધર્માત્મા-શ્રાવકો જ ઉદારતાથી મનોવાંછિત દાન દેનારા ચિંતામણિ-કલ્પવૃક્ષ ને કામધેનુ છે-જ્યારે જરૂર પડે ત્યારે આપે. જરૂર પડયે દાન ન આપે તો દાતાર શેનો ? ધર્મપ્રસંગમાં જરૂર પડયે દાતા છૂપો રહે નહિ. જેમ દેશને ખાતર ભામાશાહે (તે જૈન હતા) પોતાની બધી મિલકત રાણા પ્રતાપ પાસે ધરી દીધી, તેમ ધર્મીજીવ ધર્મને ખાતર જરૂર પડ્યે પોતાનું સર્વસ્વ અર્પી દે. દાતાને ચિંતામણિ વગેરે કરતાં પણ દાન પ્રિય છે; કેમકે ચિંતામણિ વગેરે વસ્તુઓ જે ઉપકાર કરે છે તે પણ પૂર્વે કરેલા સત્પાત્રદાનથી જે પુણ્ય બંધાયા તેને લીધે જ છે; માટે ખરેખર દાતામાં જ એ બધું સમાઈ જાય છે-આ રીતે દાતાની પ્રશંસા કરી. હવે જ્યાં ધર્માત્મા શ્રાવકો વસતા હોય ત્યાં અનેક પ્રકારે ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે તે બતાવીને તેની પ્રશંસા કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com