________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૧૯] ધર્માત્મા એ કલિયુગનાં કલ્પવૃક્ષ છે.
આચાર્ય કહે છે કે પુણ્ય ફળરૂપ ચિંતામણિ વગેરેનો મહિમા અમને નથી; અમને તો આ દાતા જ ઉત્તમ લાગે છે કે જે ઘર્મની આરાધનાસહિત દાન કરે છે. પોતાની શક્તિ હોવા છતાં ઘર્મના કાર્ય અટકે એ ઘર્મી જીવ જોઈ શકે નહિ.
ધર્માત્મા-શ્રાવક દાનાદિ વડે આ કાળે કલ્પવૃક્ષ વગેરેનું કાર્ય કરે છે એમ હવે
चिन्तारत्न-सुरद्रु-कामसुरभि-स्पर्शोपलाद्या भुवि ख्याता एव परोपकारकरणे दृष्टा न ते केनचित् तैरत्रोपकृतं न केषुचिदपि प्रायो न संभाव्यते तत्कार्याणि पुनः सदैव विदधत् दाता परं दृश्यते।।१९।।
જગતમાં ચિન્તામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ ગાય અને પારસ પત્થર પરોપકાર કરવામાં પ્રસિદ્ધ છે, પરંતુ અહીં તેને પરોપકાર કરતા કોઈએ જોયા નથી, તેમજ તેણે કોઈને ઉપકૃત કર્યા નથી અને અહીં તેવી સંભાવના પણ પ્રાયઃ નથી. પરંતુ દાતાર એકલો મનોવાંછિત દાન વડે સદૈવ એ ચિન્તામણિ વગેરેનું કામ કરતો જોવામાં આવે છે. માટે ખરેખર દાતાપુરુષ જ તે ચિન્તામણિ વગેરે પદાર્થો કરતાં ઉત્તમ છે.
ધર્માત્માને પરમાર્થ ચિન્તામણિ તો પોતાનો આત્મા છે કે જેના ચિંતનથી કેવળજ્ઞાન અને સમ્યગ્દર્શન વગેરે નિધાન પ્રગટે છે. એ ચૈતન્યચિન્તામણિ પાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com