SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮) (શ્રાવકધર્મપ્રકાશ ચતો, એને તરવાનું નિમિત્ત નથી રુચતું પણ સંસારમાં ડૂબવાનું નિમિત્ત રુચે છે. જેવી રુચિ હોય તેવા પ્રકાર તરફ વલણ ગયા વગર રહે નહિ. માટે કહે છે કે વીતરાગી જિનદેવને દેખતાં જેના અંતરમાં ભક્તિ નથી ઉલ્લસતી, જેને પૂજા સ્તુતિનો ભાવ નથી જાગતો તે ગૃહસ્થ દરિયા વચ્ચે પથ્થરની નાવમાં બેઠો છે. નિયમસારમાં પદ્મપ્રભમુનિ કહે છે કે- હે જીવ! भवभयभेदिनी भगवति भवतः किं भक्तिरत्र न शमस्ति? तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।।१२।। ભવભયને ભેદનારા એવા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? – જો નથી તો તું ભવસમુદ્રની વચ્ચે મગરના મુખમાં છે. ((( C) 2) C AD MA હલી - ला आलम्बन भवजले पतता जतानाम : અરે, મોટા મોટા મુનિઓ પણ જિનદેવના દર્શન અને સ્તુતિ કરે છે ને તને જો એવો ભાવ નથી આવતો, ને એકલા પાપમાં જ રચ્યોપચ્યો રહે છે તો તું ભવસમુદ્રમાં ડૂબી જઈશ, ભાઈ ! માટે તારે આ ભવદુઃખના દરિયામાં ન ડૂબવું હોય ને એનાથી તરવું હોય તો સંસાર તરફનું તારું વલણ બદલીને વીતરાગી દેવ-ગુરુ તરફ તારા પરિણામને વાળ, તેઓ ધર્મનું સ્વરૂપ શું કહે છે તે સમજ, તેમણે કહેલા આત્મસ્વરૂપને સચિમાં લે-તો ભવસમુદ્રમાંથી તારો છૂટકારો થશે. Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy