________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
[૧૬] પુણ્યફળને છોડીને ધર્માજીવ મોક્ષને સાધે છે
પ્રભો! દિવ્યધ્વનિવડે આપે આત્માના અચિંત્યનિધાન ખુલ્લા કરીને બતાવ્યા, તો હવે આ જગતમાં એવો કોણ છે કે આ નિધાન પાસે રાજપાટના નિધાનને તણસમ ગણીને ન છોડે? -ને ચૈતન્યનિધાનને ન સાધે? અહા, ચૈતન્યના આનંદનિધાન જેણે દેખ્યા એને રાગનાં ફળરૂપ બાહ્યવૈભવ તો તરણાંતૂલ્ય લાગે છે.
पुत्रे राज्यमशेषमर्थिषु धनं दत्त्वाऽभयं प्राणिषु प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः। मोक्षस्यापि भवेत्ततः प्रथमतो दानं निधानं बुधैः शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते।।१६।।
આ જીવન અને ધન બંને અત્યંત ક્ષણભંગુર છે એમ જાણીને બુધજનોએચતુર પુરુષોએ સદા શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ, કેમકે મોક્ષનું પ્રથમ કારણ દાન છે. પૂર્વે અનેક રાજાઓ યાચકજનોને ધન આપીને, સર્વે પ્રાણીઓને અભય આપીને, અને સમસ્ત રાજ્ય પુત્રને આપીને સમ્યક તપ વડે નિત્ય સુખાસ્પદ એવા મોક્ષને પામ્યા.
જાઓ, અહીં એમ બતાવે છે કે દાનના ફળમાં ધર્મી જીવને રાજ્યસંપદા વગેરે મળે તેમાં તેઓ સુખ માનીને મૂછઈ જતા નથી, પણ દાનાદિ વડે તેનો ત્યાગ કરીને મુનિ થઈને મોક્ષને સાધવા ચાલ્યા જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com