________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬).
(શ્રાવકધર્મપ્રકાશ પામ્યા. જોકે સમ્યગ્દર્શન એ કાંઈ પૂર્વના શુભરાગનું ફળ નથી; પરંતુ સમ્યગ્દર્શન પામ્યા એટલે પૂર્વના રાગને પરંપરા કારણ પણ કહેવાય છે, એવી ઉપચારની પદ્ધતિ છે. દેવ-ગુરુ-ધર્મના પ્રસંગમાં વારંવાર દાન કરવાથી તને ધર્મના સંસ્કાર તાજા રહ્યા કરશે. ને ધર્મની રુચિનું વારંવાર ઘોલન થતાં તને આગળ વધવાનું કારણ થશે.
ધર્મના પ્રેમ સહિત દાનાદિનો જે ભાવ થયો તે પૂર્વે અનંતકાળમાં નહિ થયેલો એવો અપૂર્વ છે, ને તેના ફળમાં જે શરીરાદિ મળશે તે પણ અપૂર્વ છે કેમકે આરાધકભાવ સહિતના પુણ્ય જેમાં નિમિત્ત હોય એવું શરીર પણ પૂર્વે અજ્ઞાનદશામાં કદી મળ્યું ન હતું. જીવના ભાવમાં અપૂર્વતા થતાં સંયોગોમાં પણ અપૂર્વતા થઈ ગઈ. સત્પાત્રમાં દાનના પ્રસંગે અંતરમાં પોતાને ધર્મની પ્રીતિ પોષાય છે તેની મુખ્યતા છે. તેની સાથેનો રાગ અને પુણ્ય પણ જુદા પ્રકારના હોય છે-આ રીતે દાનનું ઉત્તમ ફળ જાણવું.
તીર્થરાજ સમેદશિખર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com