________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
પણ જેનું હ્રદય ઉદાર છે તે ધનવાન છે ને લક્ષ્મીના ઢગલા હોવા છતાં જેનું હૃદય ટૂંકું છે – કંજુસ છે તે દારિદ્રી છે. એક કહેવત છે કે
*
૨ણે ચડયા રજપૂત છૂપે નહિ... દાતા છૂપે નહિ ઘ૨ માંગણ આયા...
જેમ યુદ્ધમાં ખાંડાના ખેલનો પ્રસંગ આવે ત્યાં રજપૂતની શૂરવીરતા છાની રહે નહિ; એ ઘરના ખૂણે સંતાઈને બેસી ન રહે, એનું શૌર્ય ઊછળી જાય. તેમ જ્યાં દાનનો પ્રસંગ આવે ત્યાં ઉદાર દિલના માણસનું હૃદય છાનું ન રહે; ધર્મના પ્રસંગમાં પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય; એ છટકવાના બહાનાં ન કાઢે, કે એને પરાણે પરાણે કહેવું ન પડે, પણ પોતાના જ ઉત્સાહથી તે દાનાદિ કરે કે અહો, આવા ઉત્તમકાર્યમાં જેટલું દાન કરું તેટલું ઓછું છે. મારી જે લક્ષ્મી આવા કાર્યમાં વપરાય તે સફળ છે. આ રીતે શ્રાવક દાનવડે પોતાનું ગૃહસ્થપણું શોભાવે છે. શાસ્ત્રકાર હજી પણ એ વાતનો વિશેષ ઉપદેશ આપે છે.
સંસા૨માં જ્યારે હજારો પ્રકા૨ની પ્રતિકૂળતા કયારેક એકસામટી આવી પડે, કયાંય માર્ગ ન સૂઝે, તે પ્રસંગે ઉપાય શું ? ઉપાયએક જ કે-ધૈર્યપૂર્વક જ્ઞાનભાવના. જ્ઞાનભાવના ક્ષણમાત્રમાં બધી મુંઝવણને ખંખેરી નાંખીને હિત માર્ગ સઝાડે છે, શાંતિ આપે છે, કોઈ અલૌકિક ધૈર્ય અને અચિંત્ય તાકાત આપે છે. ગૃહસ્થ-શ્રાવકોને પણ જ્ઞાનભાવના ” હોય છે.
ፍ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com